Skip to main content

પાણી માં વિધુત કેવી રીતે પ્રવાહિત થાય છે?

વિધુતનું  આપણા  જીવનમાં મહત્વનું સ્થાન છે આ વિધુતની મદદથી  આપણને વીજળી મળે છે. જેના થી ધરમાં બલ્બ, ટીવી અને બીજા ઈલેકટ્રોનિક સાધનો કામ કરે છે.
ધાતુ એ વિધુતની સુવાહક છે. પણી ધાતું નથી છતાંય એ વિધુતનું સુવાહક કેવી રીતે હોય છે?
શુદ્ધ પાણી વિધુતનું સુવાહક નથી હોતું. પણ એમા કોઈ પણ જાત નિ અશુદ્ધિ જેમ કે લવણ ભળે તો વિધુતનું સુવાહક બની જાય. જયારે  આ અશુદ્ધિ પણી માં ભળે છે તો તે એ વિધુત અવેશિત પરમાણુ બની જાય છે. જેને આયન કહે છે. લવણ અથવા સોડીયમ ક્લોરાઈડ (NACL) નું  બે આયનો ધન અને ઋણ માં વિભાજન થાય છે.  NA ધન આયન હોય છે તો CL એ ઋણ આયન હોય છે. અટલે જયારે તમે પાણી મા ધન અને ઋણ આયન ધરાવતી બેટરી મુકો છો ત્યારે પણ નો ઋણ આયન બેટરી ના ધન છેડા તરફ આકષિૅત થાય છે.
તો ધન આયન બેટરી ના ઋણ છેડા તરફ અકષિૅત થાય છે આ રીતે આખીય ઈલેકટ્રિક સકિૅટ સંપુર્ણ થાય છે  આમ શુદ્ધ પાણી કયારેય  વિધુત સુવાહક નથી હોતું એમા લવણ નું પ્રમાણ ભળવાથી જ એ વિધુત સુવાહક બને છે 

Comments