Skip to main content

Posts

Showing posts from February, 2023

રિવાજ માં કઈ રીતે ગાડરિયો પ્રવાહ થાય છે તેનું ઉત્તમ દ્રષ્ટાંત.

    રિવાજ માં કઈ  રીતે ગાડરિયો પ્રવાહ થાય  છે તેનું ઉત્તમ દ્રષ્ટાંત. મનુભાઈ મુંબઈથી અમદાવાદ એમના વેવાઈને ત્યાં આવેલા.  બપોરનું જમવાનું વેવાઈના ઘરે હતું. આસન પાટલા ગોઠવાઈ ગયા. મનુભાઈ અને વેવાઈ જમવા આસન પર બેઠા.વીણાબેન વેવાણે થાળી પીરસવાની ચાલુ કરી.પાટલા ઉપર થાળી,વાટકી ૨, ચમચી ૨,ગ્લાસ વિગેરે મુકાઈ ગયું. લાપસી, દૂધપાક, પૂરી, પરવળ નું શાક, દાળ, ભાત, પાપડ, અથાણાં પીરસ્યા. સાથે થાળીમાં લીમડાના ૧૦ દાતણની ઝૂડી પણ મૂકી. મનુભાઈ આ ૧૦ દાતણની ઝૂડી જોઈ અચરજ પામ્યા. પરંતુ કશું બોલ્યા નહીં. મનુભાઈ દાતણની ઝૂડી બાજુ પર મૂકી જમવાનું ચાલું કર્યું.જમીને હાથ ધોઈ સોફામાં બેઠા. મુખવાસ ખાધો.સમાજની વાતો કરી.  પછી શાંતિ થી વેવાઈ ને પૂછ્યું, વેવાઈ આ જમવાની થાળીમાં લીમડાના ૧૦ દાતણની ઝૂડી મૂકવાનું શું કારણ? વેવાઈએ વિસ્તારથી જવાબ આપ્યો કે "મનુલાલ હું એકવાર અમારા સાઢુભાઈ સુમતિલાલને ત્યાં ગયો હતો, હું એમના ત્યાં જમવા બેઠો તો મારી થાળીમાં બાવળના  ૯ દાતણ મૂક્યાં.એટલે મેં અહીં એક દાતણ વધારે એટલે ૧૦ દાતણની ઝૂડી મૂકી". મનુભાઈને આમાં રસ પડ્યો તો તમે વેવાઈ તમારા સાઢુભાઈને પૂછ્યું નહિ કે આ ૯ દાતણ શાના

I...am....Proud....Of.... My.... Husband....

I...am....Proud....Of.... My.... Husband.... *અવશ્ય વાંચજો, બહુ જ સમજવા જેવું છે* *પુરુષ: સાત રંગોનું મેઘધનુષ* *લેખિકા: એશા દાદાવાલા* *એક સ્ત્રી માટે પુરૂષ શું હોઇ શકે?* *તમારા નામની પાછળ લખાતું દીવાલ જેવું અડીખમ નામ? હાથમાં દર મહિને આવી જતી ઘરખર્ચની રકમ? તમારાં સંતાનોનો પિતા? સમય કરતાં વહેલા ભરાઇ જતા લોનના હપ્તા? સોલિટેરની ગિફ્ટ? લાઇફ ઇન્શ્યોરન્સ, મેડિક્લેઇમનાં પ્રીમિયમ્સ વચ્ચે વહેંચાઇ જતો, તમારા નામે રોકાણ કરતો અને તમને સલામતી આપવા લોહી-પાણી એક કરીને પોતે કમાયેલું ઘર તમારા નામે કરી દેતો એક મર્દ?*  *પુરૂષ શું છે?* *પિતા? પ્રેમી? પતિ? કે દોસ્ત?*  *પુરૂષ એક મેઘધનુષ છે. એની પાસે સાત રંગ છે અને એ સાતેય રંગ દ્વારા એ તમારા જીવનમાં ઢગલાબંધ રંગ ઠાલવતો રહે છે.* *પુરૂષના આ સાત રંગ છે: સલામતી, સ્વીકૃતિ, સંવેદના, સહકાર, સમર્પણ, સંગાથ અને સંવાદ.* *પુરૂષ એ સલામતી છે. અડધી રાત્રે તમને ઘરે મૂકવા આવે એ પુરૂષ નથી, પણ જેના સાથે હોવા માત્રથી તમારા દરેક ડર પૂંછડી દબાવીને ભાગી જાય એ પુરૂષ છે. આર્થિક રીતે સ્વતંત્ર સ્ત્રી પોતાની માલિકીના ઘરમાં સલામતી મહેસૂસ કરતી નથી, પણ ગમતા પુરૂષની છાતી વચ્ચે એ પોતા

હવે ચૂલાની રાખની માગ, કિલોના બે હજાર

હવે ચૂલાની રાખની માગ, કિલોના બે હજાર એક જમાનામાં ચૂલામાંથી નિકળતી રાખથી વાસણ માંજવાં એ ગરીબ લોકોની નિશાની ગણાતી. જેમની પાસે વાસણ ધોવાના પાવડર ખરીદવાના પૈસા ના હોય રાખ કે માટીથી વાસણ માંજે એવું મનાતું. હવે રાખથી વાસણ માંજવાં એ અમીરીની નિશાની ગણાય છે અને આ રાખ બે હજાર રૂપિયા કિલોના ભાવે વેચાય છે. ઈ-કોમર્સ વેબસાઈટ્સ પર મસ્ત પેકિંગમાં આ રાખ વેચાય છે ને તેને ખરીદવા માટે પડાપડી થાય છે.  રાખથી વાસણ માંજવાથી વાસણ એકદમ ચોખ્ખાં થાય છે એ વાતનો ધૂમ પ્રચાર થઈ રહ્યો છે. તેના કારણે રાખની માંગ વધી ગઈ છે. રાખના ભાવ જોતાં ભવિષ્યમાં લોકો રાખ મળે એ માટે ઘરમાં ચૂલા પર રાંધતાં થઈ જશે એવું લાગે છે.

શ્રીહરિ વારાહભગવાન શ્રી હરિ વિષ્ણુનો ત્રીજો અવતાર

શ્રીહરિ વારાહભગવાન શ્રી હરિ વિષ્ણુનો ત્રીજો અવતાર  જ્યા જગતના કલ્યાણ માટે લીલાધારી ભગવાન અનેક અવતાર ધારણ કરે રે પૃથ્વી પર અધર્મ અને અત્યાચારનો અંધકાર છવાઈ જાય છે ત્યારે અધર્મનો નાશ કરવા અને ધર્મની પુનઃસ્થાપના કરવા માટે યુગે યુગે ભગવાન અવતાર લે છે. વારાહ અવતાર ભગવાન વિષ્ણુનો જ એક અવતાર છે. ભગવાન આ અવતારમાં પણ પાપીઓનો નાશ કરીને ધર્મની રક્ષા કરે છે. વારાહ જયંતીના અવસર પર ભક્તો વ્રત, ઉપવાસ, ભજન વગેરે કરે છે. છે. ભગવાન વિષ્ણુના ત્રીજા અવતાર વારાહ ભગવાનની પૂજા મહા સુદ દ્વાદશીને દિવસે કરવામાં આવે છે, જે વારાહ દ્વાદશીના નામે ઓળખાય છે. વારાહ ભગવાનનું આ વ્રત સુખસંપત્તિ અને કલ્યાણકારક છે. કહેવાય છે કે, જે શ્રદ્ધાળુ ભગવાન વારાહના નામથી મહા સુદ દ્વાદશીના દિવસે વ્રત રાખે છે તેમનું સૂતેલું ભાગ્ય જાગી જાય છે. વારાહ જયંતીની કથા હિર સ્થાન અને હિરણ્યકશિપુએ જ્યારે દિતિના ગર્ભથી જોડિયાં બાળકોના રૂપમાં જન્મ લીધો ત્યારે પૃથ્વી ધ્રૂજી ઊઠી. આકાશમાં નક્ષત્ર ડોલવા લાગ્યાં, સમુદ્રમાં ઊંચી લહેરો ઊઠવા માંડી, એવું લાગ્યું કે જાણે પ્રલય આવી ગી હોય. આ બંને દૈત્યો જન્મ બાદ તરત જ મોટા થઈ ગયા. તેમનું શરીર વજ્ર જેવું કઠોર

પુરાણોમાં યદુવંશ અને સહસ્ત્રાર્જુન

પુરાણોમાં યદુવંશ અને સહસ્ત્રાર્જુન ...લેખક: જયંતિભાઈ આહીર ઋગવેદથી લઈ અર્વાચીન ઇતિહાસકારોના મંતવ્ય મુજબ આહીરો યુગોથી સૌરાષ્ટ્રમાં વસવાટ કરતા આવ્યા  છે. મહાભારત કાળ પહેલા હિંદુશાસ્ત્રો પ્રમાણે ત્રેતાયુગમાં ઋષિ વાલ્મિકી કૃત રામાયણમાં સૌરાષ્ટ્રને શૂરાભિર દેશ તરીકે વર્ણવી અહીં આભીર(આહીર) પ્રજા રહેતી હોવાનો ઉલ્લેખ કરેલો છે. એ સાથે વિષ્ણુ પુરાણ, હરિવંશ પુરાણ, મહાભારત વગેરે ધાર્મિક ગ્રંથોમાં યદુવંશનો વિસ્તૃત ઉલ્લેખ જોવા મળે છે. વિષ્ણુ પુરાણમાં ચંદ્રવંશના રાજા શૂરના વંશજ રાજા હર્યશ્વની રાણી મધુમતીના મહાપ્રતાપી પુત્ર યદુના વંશનો મહિમા વર્ણવ્યો છે.    યદોર્વંશ નર: શ્રૃત્વા સર્વ પાપૈ: પ્રમુચ્યતે l યત્રા વતીર્ણ વિષ્ણ્વાખ્યં પરબ્રહ્મ નિરાકૃતિ ll જે કુળમાં શ્રીહરિ વિષ્ણુ ભગવાન સંજ્ઞાધારી નિરાકાર પરબ્રહ્મ શ્રીકૃષ્ણ સ્વરૂપે માનવ દેહ ધારણ કરી અવતર્યા, યદુના વંશનો મહિમા સાંભળતા મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે.  પ્રાચીન જૈનગ્રંથોમાં આહીર(યાદવ) સૌરાષ્ટ્રમાં ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા તે અગાઉથી વસતા હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. જૈનગ્રંથો મુજબ યદુ રાજાના લગ્ન નાગ કન્યા સાથે થતા તેને માધવ, હરિત, મુચ

કમર, ગોઠણ અને હાડકાના દુખાવાનો ઈલાજ

કમર, ગોઠણ અને હાડકાના દુખાવાનો ઈલાજ *ઔષધીઓ:-* • 100 ગ્રામ હળદર • 200 ગ્રામ આંબળા  • 100 ગ્રામ મેથીદાણા *ઉપયોગની રીતઃ-* ~ આ ત્રણેયને મિક્સ કરીને પીસી નાખો અને બોટલમાં ભરી દો, આ ચૂર્ણ દરરોજ સવાર અને સાંજ પાંચ ગ્રામ ગરમ પાણી સાથે લો.  *ફાયદાઓ:-* ~ આનાથી તમામ પ્રકારના હાડકાના દુખાવા અને ગોઠણના દુખાવામાં ખુબ જ ફાયદો થાય છે થતા કમરના દુખાવામાં ખુબ જ અસરકારક છે.

બીજાનો ગુસ્સો બાળક ઉપર ન ઉતારશો

બીજાનો ગુસ્સો બાળક ઉપર ન ઉતારશો સ્ત્રીઓમાં એક આદત સૌથી કોમન હોય છે, ઘરમાં કોઇ સમસ્યા થઇ હોય અને એવે સમયે જો બાળક હડફેટે આવી જાય તો લગભગ બધો જ ગુસ્સો બાળક ઉપર ઉતરી જતો હોય છે. મોટાભાગની સ્ત્રી આવું જ કરતી હોય છે, બીજાનો ગુસ્સો પોતાના બાળકને ખૂબ વઢીને કે મારીને તે એની ઉપર ઉતારતી હોય છે. પછી ભલે તેને અઢળક પસ્તાવો થાય પણ પહેલાં તે એક્શન તો લઇ જ લે છે. આવું ન કરવું. આમ કરવાથી બાળ માનસ ઉપર ખરાબ અસર પડી શકે છે.  તમે ગુસ્સે હોવ કે દુઃખી હોવ ત્યારે જ બાળક તોફાન કરતું હોય તો તેનાથી દૂર રહો, અથવા તો બે મિનિટ માટે મનને શાંત કરીને વિચારી જુઓ, ખરેખર તમે તમારા બાળક ઉપર હાથ ઉઠાવવા માગો છો? જે બાળક તમારી હાલત વિશે અજાણ છે, જેની અંદર એટલી સમજણ જ શું નથી એની ઉપર બીજાંનો ગુસ્સો ઉતારવાનો શું મતબલ ? બાળક શું કહેવા માંગે છે તે સમજો તમારું બાળક ખૂબ તોફાન કરી રહ્યું છે, અથવા તો અનેક સવાલો કરી રહ્યું છે, તમારું ધ્યાન આકર્ષિત કરવા કારનામાઓ કરી રહ્યું છે તો એ ખરેખર કેમ એમ કરી રહ્યું છે તે જાણવા પ્રયત્ન કરો. ઘણીવાર તમે માર્ક કર્યું હશે કે તમે કોઇ સાથે ફોન ઉપર વાત કરતાં હોવ અથવા તો ફોનમાં વ્યસ્ત હોવ ત

ગૂગલના નવા ફીચરથી વેબકેમની જેમ એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ

ગૂગલના નવા ફીચરથી વેબકેમની જેમ એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ ગત વર્ષે જ ગૂગલે એન્ડ્રોઇડ ૧૩ને રજૂ કર્યો હતો, જેમાં સારાં એવાં સિક્યોરિટી ફીચર્સ આપવામાં આવ્યાં હતાં અને હવે ગૂગલે એન્ડ્રોઇડ ૧૪ માટે તડામાર તૈયારી કરી લીધી છે. નોંધનીય છે કે, એન્ડ્રોઇડ ૧૪ આવ્યા બાદ એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ એક વેબકેમની જેમ પણ કરી શકાશે.  આ ફીચરનો મતલબ એમ થયો કે યૂઝર્સ પોતાના એન્ડ્રોઇડ ૧૪વાળા એન્ડ્રોઇડ ફોનમાં યૂએસબી દ્વારા એક્સટર્નલ વેબકેમનો ઉપયોગ સરળતાથી કરી શકશે. એવામાં વીડિયોકૉલની ક્વોલિટી પણ વ્યવસ્થિત જળવાઇ રહેશે.  આ ફીચર એન્ડ્રોઇડ ફોન અને ટેબ બંને માટે રહેશે. જોકે, આ સુવિધા પહેલેથી જ ઘણી થર્ડ પાર્ટી એપ્સ આપી રહી છે, પરંતુ હવે ગૂગલે પણ આ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. આ તરફ એકસપર્ટે હાલમાં જ AOSP Gerritમાં સબમિટ કરવામાં આવેલા કોડને જોયો છે. આ કોડમાં એ વાતનો સંકેત મળ્યો છે કે ગૂગલ મોબાઇલ ડિવાઇસને પીસી, મેક કે ક્રોમબુકના વેબકેમના રૂપે કામ કરવા માટે તૈયાર છે.  આ ફીચરને ‘DeviceAsWebcam' કહેવામાં આવશે. ગૂગલ તરફથી આ ફીચરને લઇને કોઇ પુષ્ટિ હજી સુધી કરવામાં આવી નથી, જ્યારે એપલ આ સુવિધા પહેલેથી જ આપી રહી છે.

તો હવે ટ્વિટરની જેમ ઇન્સ્ટાગ્રામ પણ બ્લુ ટીક ના પૈસા લેશે

તો હવે ટ્વિટરની જેમ ઇન્સ્ટાગ્રામ પણ બ્લુ ટીક ના પૈસા લેશે પોતાના ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામને કોણ વેરિફાઇ કરવાનું નહીં ઇચ્છે? પરંતુ સૌ કોઇને તો બ્લુ ટીક મળતી નથી. કારણ કે એકાઉન્ટ વેરિફિકેશનની ઘણીબધી શરતો હોય છે જેને યૂઝર્સ પૂરી કરી શકતો નથી અને તેથી જ રિક્વેસ્ટ રિજેક્ટ થઇ જતી હોય છે. એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ઇન્સ્ટાગ્રામ પણ ટ્વિટરની જેમ યૂઝર્સને વેરિફિકેશન માટે પૈસા લેશે.  રિવર્સ એન્જિનિયર એલસેન્ડ્રો પાલુજીએ એક એવો કોડ શોધ્યો છે જે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એક પેડ વેરિફિકેશન ફિચર પર કામ કરી રહ્યું છે. આ માટે કંપની તરફથી કોઇ ઓફિશિયલી જાણકારી આપી નથી પણ જે કોડ સામે આવ્યા છે તે IGNME_PAID BLUE_BADGE IDV' FB NME_PAID_BLE_BADGE_IDV' પ્રમાણેના છે.  સામાન્ય રીતે આ કોડ આઇ ડેન્ટિ વેરિફિકેશન બેઝ્ડ હોય છે અને આ સંદર્ભને લઇને એવું અનુમાન લગાવવામાં આવે છે કે આ સર્વિસ કેટલીક હદે ટ્વિટરના પેડ વેરિફિકેશનની જેમ જ હોઇ શકે છે. ટ્વિટર બ્લુ ટીક સબસ્ક્રિપ્શન માટે પ્રતિ માસ અંદાજીત ૮ ડૉલર લે છે. જેમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બીજા કેટલાક દેશોમાં વેરિફાઇડ બેઝ મળે છે .

માંડ માંડ સગાઈ નક્કી કરી

 *માંડ માંડ સગાઈ નક્કી કરી,* *ત્યાં ખબર પડી, કે છોકરો ADANI માં છે*  *અને વેવાઈ શેર બજારમાં છે...!* 😂🤣😣 *રવિવારીય હાસ્ય..!*😂🤣😣😂🤣😣

🙏પગે લાગવા થી ખરેખર શુ થાય છે..?* *🙏આજની જનરેશનનો આ બાબતે શુ અભિપ્રાય છે..?*

 *🙏પગે લાગવા થી ખરેખર શુ થાય છે..?* *🙏આજની જનરેશનનો આ બાબતે શુ અભિપ્રાય છે..?*   🙏આપના આ પગે લાગવા એટલે કે પ્રણામ કરવાથી ખરેખર શું થઈ શકે તે સવાલ નો જવાબ ક્રૃષ્ણલીલા માં થી જ મેળવીએ.. મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું - એક દિવસ, દુર્યોધનના કટાક્ષથી દુખી થઈને, "ભીષ્મ પિતામહ" જાહેર કરે છે કે - "હું કાલે પાંડવોને મારી નાખીશ" તેની જાહેરાતની જાણ થતાં જ પાંડવોની છાવણીમાં બેચેની વધી ગઈ - દરેક વ્યક્તિ ભીષ્મની ક્ષમતાઓ વિશે જાણતો હતો, તેથી દરેક વ્યક્તિ ભયથી પરેશાન થઈ ગયો પછી શ્રી કૃષ્ણે દ્રૌપદીને કહ્યું, હવે મારી સાથે આવો - શ્રી કૃષ્ણ દ્રૌપદીને સીધા ભીષ્મ પિતામહની છાવણીમાં લઈ ગયા. શિબિરની બહાર ઉભા રહીને તેમણે દ્રૌપદીને કહ્યું કે - અંદર જાવ અને પિતામહને પ્રણામ કરો જ્યારે દ્રૌપદી અંદર ગયા અને ભીષ્મપિતામહને પ્રણામ કર્યા, ત્યારે તેમણે"અખંડ સૌભાગ્યવતી ભવ" આશીર્વાદ દિધા.. પછી તેણે દ્રૌપદીને પૂછ્યું કે !!"વત્સ, તમે આટલી રાત્રે અહીં એકલા કેવી રીતે આવ્યા, શ્રી કૃષ્ણ તમને અહીં લાવ્યા છે"? ત્યારે દ્રૌપદીએ કહ્યું કે -"હા અને તેઓ રૂમની બહાર ઉભા છે." પછી ભી

परी हो तुम गुजरात की, रूप तेरा मद्रासी

 परी हो तुम गुजरात की, रूप तेरा मद्रासी ! सुन्दरता कश्मीर की तुम में, सिक्किम जैसा शर्माती !! खान-पान पँजाबी जैसा, बँगाली जैसी बोली ! केरल जैसी आँखें तुम्हारी, है दिल तो तुम्हारा दिल्ली !! महाराष्ट्र तुम्हारा फ़ैशन है, तो गोवा नया ज़माना ! ख़ुशबू हो तुम कर्नाटक की, बल तो तेरा हरियाणा !! सीधी-सादी उड़ीसा जैसी, एम.पी. जैसा मुस्काना ! दुल्हन तुम राजस्थानी जैसी, त्रिपुरा जैसा इठलाना !! झारखण्ड तुम्हारा आभूषण, तो मेघालय तुम्हारी बिन्दीया है ! सीना तुम्हारा यू.पी है तो, हिमाचल तुम्हारी निन्दिया है !! कानों का कुण्डल छत्तीसगढ़, तो मिज़ोरम तुम्हारी पायल है बिहार गले का हार तुम्हारा, तो आसाम तुम्हारा आँचल है !! नागालैण्ड - आन्ध्र दो हाथ तुम्हारे, तो ज़ुल्फ़ तुम्हारा अरुणाचल है ! नाम तुम्हारा भारत माता, तो पवित्र तुम्हारा उत्तराँचल है !! सागर है परिधान तुम्हारा, तिल जैसे है दमन-द्वीव ! मोहित हो जाता है सारा जग, रहती हो तुम कितनी सजीव !! अण्डमान और निकोबार द्वीप, पुष्पों का गुच्छ तेरे बालों में ! झिल-मिल, झिल-मिल से लक्षद्वीप, जो चमक रहे तेरे गालों में !! ताज तुम्हारा हिमालय है, तो गँगा पखारती चरण

બાવન પત્તા નો ખેલ

 બાવન પત્તા નો ખેલ* ♠️♥️♣️♦️ પત્તાનો અર્થ..... આપણે પત્તા રમીએ છીએ, મજા કરીએ છીએ. પરંતુ કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે *પત્તાની ડિઝાઈન નુ વિજ્ઞાન શું છે..?*  અને સાથે જ તે પ્રકૃતિ સાથે પણ સંબંધિત છે.  લીસ્સા અને લંબચોરસ કાગળમાંથી બનેલા પત્તાં લાલ, કાળી,ચરકટ, અને ફલ્લી એમ *ચાર* પ્રકારના હોય છે. દરેક જાતનાં 13 કાર્ડ, દરેક મળીને કુલ 52 કાર્ડ બને છે. પત્તાં ના એક્ થી દશ અંક સુધીના કાર્ડ + ગુલામ, રાણી અને રાજા સુધી ના ચિત્રો !!!! *1)*. 52 પત્તાં=52 અઠવાડિયા *2)*. 4 પ્રકારના રંગ = 4 ઋતુઓ *3)*. દરેક રંગના 13 પત્તાં= દરેક ઋતુના 13 અઠવાડિયા. *4)*. બધા કાર્ડના અંકનો સરવાળો એટલે 1 થી 13 = 91 × 4 = 364 *5)*. જોકર. 364+1= 365દિવસ= 1 વર્ષ *6)*. + એક વધારાનો જોકર, 365 +1=366 દિવસ એટલે લીપ વરસ *7)*. 52 કાર્ડ્સમાં 12 ચિત્ર કાર્ડ = 12 મહિના. *8)*. લાલ અને કાળો રંગ= દિવસ અને રાત!             ------------- 2.*દુળી - પૃથ્વી અને આકાશ, 3.*તીળી = બ્રહ્મા,વિષ્ણુ, મહેશ, 4.*ચોકો*- ચાર વેદ   5.*પંજો*= પંચ પ્રાણ (પ્રાણ,અપાન,વ્યાન,ઉદાન,સમાન 6.*છગ્ગો*- ષડરિપુ (કામ,ક્રોધ,મદ, આસક્તિ,મત્સર,લોભ) 7.*સત્તો* - સાત સમુદ્ર

નારદજી :~ અરે પ્રભુ ! તમારો જન્મદિવસ (જન્માષ્ટમી) નજીકમા છે અને તમે આટલા ઉદાસ કેમ

 *નારદજી :~ અરે પ્રભુ ! તમારો જન્મદિવસ (જન્માષ્ટમી) નજીકમા છે અને તમે આટલા ઉદાસ કેમ ?* *શ્રીકૃષ્ણ :~ અરે નારદજી ! એની જ તો ચિંતા છે. જન્માષ્ટમીના દિવસે રાત્રે 12વાગ્યે ન્યુઝ ચેનલો ચાલુ કરીને જુઓ તો ખરા, આપને બધુ સમજાઈ જશે.* *નારદજી :~ એવુ તે શું બતાવે છે ન્યુઝ ચેનલ ?* *શ્રીકૃષ્ણ :~ મારા જન્મદિવસે "ગોકુળ-મથુરા-વૃન્દાવન" ના મંદિરોમા "દૂધ-દહી-ઘી-મધ" ને શંખમા ભરી-ભરીને મારી નાની અમથી મૂર્તિ પર અભીષેક* *કરવામા આવે છે, અને આ દ્રવ્યો ભેગા થઈ છેવટે ગટરમા જાય છે, અને મંદિરમા પણ દુધની ડેરીમા આવતી હોય એવી દુર્ગંધ આવે છે એ બધુ યાદ આવતા, હુ દુ:ખી-દુ:ખી થઈ જાવ છુ.* *નારદજી :~ અરે પ્રભુ ! આ તો ભક્તોનો તમારા પ્રત્યેનો પ્રેમ છે* *શ્રીકૃષ્ણ :~ જો મુનીવર, તમે જ કહો... મારો એક દિકરો મંદીરની બહાર બે-ત્રણ દીવસથી ખાધા-પીધા વગરનો પડ્યો હોય અને બીજો દીકરો મારી મૂર્તી પર આટલો-આટલો અભિષેક કરી, બગાડ કરે તો દુ:ખ તો થાય કે નહી ?* *નારદજી :~ વાત તો વિચારવા જેવી છે... તો પ્રભુ તમારી શું ઈચ્છા છે ?* *"શ્રી કૃષ્ણ :~ જેમ શ્રીફળ વધેરી, થોડો ભાગ ભગવાનને ધરી બાકીનો ભાગ પ્રસાદી તરીકે* *વહેચાય છે, તે

*લાઇફ ટાઇમ સાચવી રાખજો અને અમલ કરજો*..💐

 *લાઇફ ટાઇમ સાચવી રાખજો અને અમલ કરજો*..💐 મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે  મધા કાલ થી જ શરુ થાય છે ૧૭ઃ૮ઃ૨૦૨૨ થી - વર્ષાતુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખૂબ જ મહત્વનું છે - વરસાદનું મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ થાય છે  મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે '.... *મઘા કે બરસે, માતુ કે પરસે'* એટલે કે માં જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદ થી ધરતી માતાની પાણીની તરસ બુઝી જાય છે જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે. વરસાદનું મઘા નક્ષત્ર નું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગ થાય છે. કહેવાય છે કે મઘા ના મોઘા વરસાદ, માટે જો મઘા નક્ષત્ર માં વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે.  આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા (કીડા) પડતા નાથી.  આ મઘા નક્ષત્ર નું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે.  પહેલા કહ્યું તેમ મઘાનું પાણી *ગંગાજળ* સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો

વિશ્વ નું સૌથી ઝેરી "ઈર્ષ્યા"..

 *વિશ્વ નું સૌથી ઝેરી "ઈર્ષ્યા"...* *વિશ્વ નો સૌથી બેસ્ટ મલમ છે "મધુર વાણી"...* *વિશ્વ ની સૌથી મોટી યુનિવર્સિટી છે "માં બાપ"...* *વિશ્વ માં સૌથી મોટો શત્રુ છે "નકારાત્મક મન"...* *વિશ્વ નું સૌથી મોટું રહેવાલાયક સ્થળ છે "કોઈનું હૃદય"...* *વિશ્વ નું સારા માં સારું "મ્યુઝિક" છે તમારા પોતાના દિલ ની "ધડકન",કારણ કે એ "ભગવાને" પોતે જ કમ્પોઝ કરેલું છે અને વિશ્વની બધી જ તકલીફો નું એન્ટીબાયોટિક છે... "સારા મિત્રો"* 👍😊

શ્રી કૃષ્ણ ભગવાન વિશે માહિતી સૌને રસપ્રદ બની રહેશે

શ્રી કૃષ્ણ ભગવાન વિશે માહિતી સૌને રસપ્રદ બની રહેશે *નામ :- ચંદ્રવંશપ્રતાપ યદુકુળ ભૂષણ, પૂર્ણપુરુષોત્તમ, દ્વારિકાધીશ મહારાજા શ્રી કૃષ્ણચંદ્રજી વાસુદેવજી યાદવ (પૂર્ણ ક્ષત્રિય)*    *અને..અત્યારે* *હિઝ હાઈનેસ મહારાજાધિરાજ 10008 શ્રી,શ્રી,શ્રી, કૃષ્ણચંદ્રસિંહજી વાસુદેવસિંહજી નેક નામદાર મહારાજા ઓફ દ્વારકા.*          *-:જન્મદિવસ:-*  ૨૦/૨૧ -૦૭ ઈ.સ. પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર             *-:જન્મ તિથી:-* વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ [ જેને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ )              *-:નક્ષત્ર સમય:-* રોહિણી નક્ષત્ર રાત્રીના ૧૨ કલાકે મધ્ય રાત્રી             *-:રાશી-લગ્ન:-* વૃષભ લગ્ન અને વૃષભ રાશી             *-:જન્મ સ્થળ:-* રાજા કંસ ની રાજધાની મથુરા માં તાલુકો, જીલ્લો- મથુરા (ઉત્તર પ્રદેશ)             *-:વંશ - કુળ:-* ચંદ્ર વંશ યદુકુળ ક્ષેત્ર - માધુપુર              *-:યુગ મન્વન્તર:-* દ્વાપર યુગ સાતમો વૈવસ્વત મન્વન્તર               *-:વર્ષ:-* દ્વાપર યુગનો ૮,૬૩૮૭૪ વર્ષ ૪ માસ્ અને ૨૨માં દિવસે                *-:માતા:-* દેવકી [ રાજા કંસના સગા કાકા દેવરાજની પુત્રી, જેને કંસે પોતાની બહેન માન

સમુદ્રને કિનારે એક તેજ મોજું આવ્યું તો એક બાળકના ચપ્પલ તેની સાથે લેતું ગયું. બાળક રેતી માં આંગળીથી લખે છે- 'સમુદ્ર ચોર છે

 સમુદ્રને કિનારે એક તેજ મોજું આવ્યું તો એક બાળકના ચપ્પલ તેની સાથે લેતું ગયું. બાળક રેતી માં આંગળીથી લખે છે- 'સમુદ્ર ચોર છે' એજ સમુદ્રના બીજા કિનારે એક માછીમાર ઘણી બધી માછલીઓ પકડે છે અને તે રેતી પર લખે છે- ' સમુદ્ર મારો પાલનહાર છે' એક યુવક સમુદ્ર માં ડૂબી ને મરી જાય છે.તેની માં રેતી પર લખે છે-'સમુદ્ર હત્યારો છે' એક બીજા કિનારે એક ગરીબ બુઢ્ઢો વાંકી વળી ગયેલી કમરે રેતીમાં ચાલી રહ્યો હતો.તેને એક છીપમાં એક અણમોલ મોતી મળે છે. તે રેતીમાં લખે છે-' સમુદ્ર બહુ દાની છે' ….અચાનક જ એક મોટું મોજું આવે છે અને બધાએ રેતીમાં લખેલા લખાણો ભૂંસાઈ જાય છે. મતલબ સમુદ્ર ને કોઈ ફરક નથી પડતો કે લોકો તેના વિશે શું કહે છે.તે તો પોતાની લહેરો સાથે મસ્ત રહે છે. એટલે જીવનમાં અગર સમુદ્ર જેવા વિશાળ બનવું હોય તો જીવનમાં નિરર્થક બાબતો અને નિરર્થક વાતો પર ધ્યાન ન દો. પોતાનું  જોશ, ઉત્સાહ, શૌર્ય, પરાક્રમ અને શાંતિ સમુદ્રની જેમ પોતાની રીતે નક્કી કરો.   લોકો ને તો શું છે, તેમનો મત તો પરિસ્થિતિ પ્રમાણે બદલાતો રહે છે. આપનો દિવસ મંગલમય રહે.

એક સભામાં, ઓશો એ એક 30 વર્ષીય યુવકને તેમના પ્રવચન દરમિયાન ઉભા થવા કહ્યું. અને પૂછ્યું

 ✍ એક સભામાં, ઓશો એ એક 30 વર્ષીય યુવકને તેમના પ્રવચન દરમિયાન ઉભા થવા કહ્યું. અને પૂછ્યું..  - તમે મુંબઈમાં જુહુ ચોપાટી પર ફરી રહ્યા છો અને સામેથી એક સુંદર છોકરી આવી રહી છે, તો તમે શું કરશો? યુવકે કહ્યું - તેના પર નજર પડશે તો જોવાનું શરૂ કરશે. ગુરુજીએ પૂછ્યું - તે છોકરી આગળ નીકળી ગઈ , તો પણ તમે પણ પાછળ ફરીને જોશો? છોકરાએ કહ્યું - હા, જો પત્ની સાથે ન હોય. (સભામાં દરેક હસે છે) ગુરુજીએ ફરીથી પૂછ્યું - મને કહો કે તમને તે સુંદર ચહેરો ક્યાં સુધી યાદ રહેશે? યુવકે 5 - 10 મિનિટ માટે કહ્યું, જ્યાં સુધી બીજો સુંદર ચહેરો દેખાય નહીં. ગુરુજીએ યુવકને કહ્યું- હવે જરા વિચારો.. તું જયપુરથી મુંબઈ જઈ રહ્યો છે અને મેં તને પુસ્તકોનું પેકેટ આપ્યું અને કહ્યું કે આ પેકેટ મુંબઈના એક મહાનુભાવને પહોંચાડોજો.  તમે પેકેટો પહોંચાડવા મુંબઈમાં તેના ઘરે ગયા હતા. જ્યારે તમે તેનું ઘર જોયું તો તમને ખબર પડી કે તે એક મોટો અબજોપતિ છે. અને તેના ઘરની બહાર 10 વાહનો અને 5 ચોકીદાર ઉભા છે. તમે તેમને પેકેટની માહિતી મોકલી, તો એ સજ્જન પોતે બહાર આવ્યા. તમારી પાસેથી પેકેટ લીધું. જ્યારે તમે જવા લાગ્યા ત્યારે તમને મને ઘરની અંદર આગ્ર

નથી જોઈતા તારા કોઈ ઉપવાસ, કે નથી જોઈતી કોઈ માનતા કે નથી જોઈતી કોઈ બાધા . માત્ર *શુદ્ધ કર્મ* કર. ખુલ્લાં *મનથી જીવન* ને આવકાર. પ્રત્યેક ક્ષણ ને *ભરપૂર માણ.* *હું આવતો રહીશ,* *બસ... ઓળખજે મને તું .

નથી જોઈતા તારા કોઈ ઉપવાસ, કે નથી જોઈતી કોઈ માનતા કે નથી જોઈતી કોઈ  બાધા . માત્ર *શુદ્ધ કર્મ* કર.  ખુલ્લાં *મનથી જીવન* ને આવકાર. પ્રત્યેક ક્ષણ ને *ભરપૂર માણ.* *હું આવતો રહીશ,* *બસ... ઓળખજે મને તું . પૂછ્યું કૃષ્ણ એ મને મંદ મુસ્કાન સાથે, બોલને શું વાત છે. આજે કેમ ઉદાસ છે ? મે કહ્યુ  મારા જીવન માં સંઘર્ષ કેમ.? ઉદ્દેશ્ય શું મારા જીવન નો.? મારી સામે જોઈ હસી પડ્યા મુરલીધર બોલ્યા. જાણે છે તું ? હું જન્મ્યો એ પહેલા જ મને મૃત્યુ આપવા તૈયાર હતા મારા જ મામા. હું જન્મ્યો જેલ માં જીવન આખું સંઘર્ષ માં દરેક ડગલે પડકાર જન્મતા જ મા થી થયો અલગ. બાર વર્ષે ગોકુળ થી અલગ જેણે પ્રેમ આપ્યો એ મા .. યશોદા. જેને પ્રેમ આપ્યો એ રાધા ... ગોપી ઓ અને ગોવાળો ને પણ છોડ્યા. મથુરા છોડ્યું અને દ્વારકા પણ વસાવ્યું. જીવન માં આટલો સંઘર્ષ તો પણ કોઈનેય જન્મકુંડળી નથી બતાવી. ના કોઈ ઉપવાસ કર્યા ના ખુલ્લા પગે ચાલવાની બાધા યે માની ના ઘરની બહાર લીંબુ મરચા બાંધ્યા. મેં તો યજ્ઞ કર્યો ફક્ત અને ફક્ત કર્મ નો. યુદ્ધના મેદાનમાં જયારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાંખ્યા. ના અર્જુનના જન્માક્ષર જોયા, ના કોઈ મુહૂર્ત જોયું, ના તો કોઈ દોરો કે તાવીજ

સીનીયર સીટીઝન તો તેને રે કહીયે, જે મોજ પોતાની માણે. રે... !!

 🚩  જય શ્રી કૃષ્ણ. 🚩 Senior  Citizens ------------------------- સીનીયર  સીટીઝન  તો  તેને  રે  કહીયે,  જે  મોજ  પોતાની  માણે. રે... !! ખાઈ  પીઈ  ને  જલશા  કરે,  બીક  કદી  ન  રાખે  રે ... !! ભલે  રહ્યા  દિવસો  થોડા,  એની  ગણતરી  ન  માંડે  રે ... !! પૈસો  પોતાનો  પાસે  રાખે, કોઈની  આશા  ન  રાખે  રે ...!! હિંમત  હૈયે  હરદમ  રાખે,  હરી  ભરોસે  હાલે  રે ...!! અભિમાની  ને  અળગા  રાખે,  નફફટ  થી  ન  નાતો  રે....!! સકળલોકમા  સહુથી  ચેતે,  ચાલે  પોતાની  રીતે  રે... !! અપલક્ષણા  ને  આઘા  રાખે,  લોભી  લાલચી ને  ટાળે  રે ... !! નહીં  કદી ઈ કોઈનું  અપમાન  કરે,  મસ્કો  કોઈને  ન  મારે  રે ...!! મોહ  માયા  ને  આઘા  રાખે,  જંતર  મંતર  ટાળે  રે ... !! બકતા  ઠગતા  નો  સંગ ન  રાખે,  વાતો  માં  ન  આવે  એની  રે ...!! સીનીયર  સીટીઝન  તેને  કહીયે,  જે  મોજ  પોતાની  માણે  રે .. !! આજે  "National  Senior  Citizens  Day"  નિમિત્તે  તમામ  સીનીયર  સીટીઝન  ને  સમર્પિત. ...         **********

એક વખત એક માણસ ના ખીસ્સામાં *2000.00* રૂપિયાની નોટ અને *1.00* રૂપિયાનો સિક્કો ભેગા થયા

 એક વખત  એક માણસ ના ખીસ્સામાં  *2000.00*  રૂપિયાની નોટ અને  *1.00*  રૂપિયાનો સિક્કો ભેગા થયા સિક્કો તો અભીભૂત થઇને  નોટની સામે જોયા જ કરતો હતો નોટે પુછ્યુ,  આટલું ધ્યાન પૂર્વક  શું જુએ છે ? સિક્કાએ કહ્યુ,  આપના જેટલા  મોટા મૂલ્યની  વ્યક્તિ સાથે ક્યારેય મૂલાકાત  થઇ નથી એટલે  આપને જોવ છું આપનો જન્મ થયો ત્યારથી  અત્યાર સુધીમાં  આપ કેટલું બધુ  ફર્યા હશો  આપનું મૂલ્ય  મારા કરતા  હજાર ગણું વધારે છે  એટલે કેટલા લોકોને  ઉપયોગી થયા હશો ? નોટે દુ:ખી વદને કહ્યુ,  ભાઇ,  તું વિચારે છે  એવું કંઇ નથી હું એક  ઉદ્યોગપતિ ના  કબજામાં હતી  એણે મને સાચવીને  એની તિજોરીમાં રાખેલી એક વખત મને  તિજોરીમાં થી  બહાર કાઢીને  એણે કરેલા  ટેકસ ચોરીના  કૌભાંડને ઢાંકવા માટે  લાંચ તરીકે  એક અધિકારીના  હવાલે કરી મને એમ થયુ કે ચાલો જેલમાંથી છુટ્યા  હવે કોઇના  ઉપયોગમાં આવીશ  પણ મારા સપનાઓ  સપનાઓ જ રહ્યા  કારણકે અધિકારીએ  મને એના  બેંક લોકરમાં  કેદ કરી દીધી કેટલાય મહિનાઓ બાદ  અધિકારીએ  એક મોટો બંગલો ખરીદ્યો  એટલે મને  બેંક લોકરમાંથી  બહાર નીકળવાની  તક મળી જેવી બીલ્ડરના  હાથમાં આવી કે  એણે તો કોથળામાં પુરીને  એક અંધારી જગ્યાએ