Skip to main content

ગૂગલના નવા ફીચરથી વેબકેમની જેમ એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ

ગૂગલના નવા ફીચરથી વેબકેમની જેમ એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ

ગત વર્ષે જ ગૂગલે એન્ડ્રોઇડ ૧૩ને રજૂ કર્યો હતો, જેમાં સારાં એવાં સિક્યોરિટી ફીચર્સ આપવામાં આવ્યાં હતાં અને હવે ગૂગલે એન્ડ્રોઇડ ૧૪ માટે તડામાર તૈયારી કરી લીધી છે. નોંધનીય છે કે, એન્ડ્રોઇડ ૧૪ આવ્યા બાદ એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ એક વેબકેમની જેમ પણ કરી શકાશે. 

આ ફીચરનો મતલબ એમ થયો કે યૂઝર્સ પોતાના એન્ડ્રોઇડ ૧૪વાળા એન્ડ્રોઇડ ફોનમાં યૂએસબી દ્વારા એક્સટર્નલ વેબકેમનો ઉપયોગ સરળતાથી કરી શકશે. એવામાં વીડિયોકૉલની ક્વોલિટી પણ વ્યવસ્થિત જળવાઇ રહેશે. 

આ ફીચર એન્ડ્રોઇડ ફોન અને ટેબ બંને માટે રહેશે. જોકે, આ સુવિધા પહેલેથી જ ઘણી થર્ડ પાર્ટી એપ્સ આપી રહી છે, પરંતુ હવે ગૂગલે પણ આ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. આ તરફ એકસપર્ટે હાલમાં જ AOSP Gerritમાં સબમિટ કરવામાં આવેલા કોડને જોયો છે. આ કોડમાં એ વાતનો સંકેત મળ્યો છે કે ગૂગલ મોબાઇલ ડિવાઇસને પીસી, મેક કે ક્રોમબુકના વેબકેમના રૂપે કામ કરવા માટે તૈયાર છે. 

આ ફીચરને ‘DeviceAsWebcam' કહેવામાં આવશે. ગૂગલ તરફથી આ ફીચરને લઇને કોઇ પુષ્ટિ હજી સુધી કરવામાં આવી નથી, જ્યારે એપલ આ સુવિધા પહેલેથી જ આપી રહી છે.


Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજના બનાવી   આમ એક વખત  મો

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે