Skip to main content

Posts

Showing posts from March, 2023

ચાલતા રહેવાથી આયુષ્ય વધે છે

ચાલતા રહેવાથી આયુષ્ય વધે છે.  ૨થી ૫ મિનિટ ચાલવાથી અચાનક આવતા મૃત્યુનું ૩૩ ટકા જોખમ ઘટી જાય છે. » પથી ૧૫ મિનિટ ચાલવાથી તમારી કાર્યક્ષમતા ૬૦ ટકા વધી જાય છે, તમે સ્ફૂર્તિથી તમારું કામ કરી શકો છો. ૧૫થી ૨૦ મિનિટ ચાલવાથી બ્લડ સુગર ઘટે છે. × ૨૦થી ૩૦ મિનિટ ટહેલતા ટહેલતા કુદરતી સૌંદર્ય જોઈને ચાલવાથી નિરાશાજનક વિચારો ઘટી જાય છે. × ૩૦થી ૩૫ મિનિટ ચાલવાથી હૃદયની બીમારીનું જોખમ ઘટી જાય છે. » ૪૦થી ૫૦ મિનિટ ચાલવાથી હાઇપર ટેન્શન ઘટે છે. × ૧૫૦ મિનિટ સ્લો મોશનમાં ચાલવાથી કસરત કે જિમ કરતાં વધુ ાયદો થાય છે. » અઠવાડિયામાં ત્રણ દિવસ ૪૫ મિનિટ ચાલવાથી યાદશક્તિ વધે છે. » ચાલવાનું શાંતિથી ધીમેધીમે ભેંસ દોડતા હોય તેમ અંગૂઠાને મુઠ્ઠીની અંદર રાખી ચારે આંગળીઓ વડે દબાણ આપીને ચાલવાથી હાઈ બીપી, લૉ બીપી કંટ્રોલમાં રહે છે. આમ જો ફક્ત ચાલવાથી જ આટલા બધા ફાયદા મળતા હોય તો શા માટે ન ચાલવું જોઈએ. » તો ચાલો, આજથી જ ચાલવાનું શરૂ કરી દઈએ અને ઘણાબધા રોગમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ જરૂરથી કરીએ ને બીજાને પણ આ ફાયદા વિશે જરૂરથી જણાવીએ.

આ 1534 પાનાનો આયુર્વેદ નો અમૂલ્ય ગ્રંથ, આપને વિનામૂલ્યે ભેટ મોકલવામાં આવે છે.

  *આ 1534 પાનાનો આયુર્વેદ નો અમૂલ્ય ગ્રંથ, આપને વિનામૂલ્યે ભેટ મોકલવામાં આવે છે.* *આયુર્વેદમાં રસ હોય તો* *સુરક્ષિત SAVE કરીને રાખશો.અને સમય મુજબ* *સદ્ઊપયોગ કરશોજી તેમજ આપના સ્નેહીજનો ને પણ મોકલશોજી.*. 🌹🙏🏻🌹👇🏻 *PDF ડાઉનલોડ કરવા માટે👇🏻* 👉 http://bit.ly/3toj3Ju

વરિષ્ઠ નાગરિક હોવું એ ગુનો છે?

  વરિષ્ઠ નાગરિક હોવું એ ગુનો છે? Image by Moondance from Pixabay ભારતમાં 70 વર્ષની ઉંમર પછી વરિષ્ઠ નાગરિકો તબીબી વીમા માટે પાત્ર નથી,  તેમને EMI પર લોન મળતી નથી. ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું નથી. તેમને આર્થિક કામ માટે કોઈ નોકરી આપવામાં આવતી નથી. તેથી તેઓ અન્ય પર નિર્ભર છે. યુવાનીમાં તેણે તમામ કર ચૂકવી દીધા હતા. હવે સિનિયર સિટીઝન બન્યા બાદ પણ તેણે તમામ ટેક્સ ભરવા પડશે. ભારતમાં વરિષ્ઠ નાગરિકો માટે કોઈ યોજના નથી. રેલવે પર 50% ડિસ્કાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.  દુઃખની વાત એ છે કે રાજકારણમાં તમામ વરિષ્ઠ નાગરિકો પછી તે ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે મંત્રીઓ, તેમને બધું જ મળશે અને પેન્શન પણ, પરંતુ આપણે વરિષ્ઠ નાગરિકો જીવનભર સરકારને અનેક પ્રકારના ટેક્સ ચૂકવીએ છીએ, છતાં પેન્શન નથી. વૃદ્ધાવસ્થા, કલ્પના કરો કે જો બાળકો  (કોઈ કારણોસર) તેમની સંભાળ રાખવા સક્ષમ ન હોય તો તેઓ વૃદ્ધાવસ્થામાં અન્યથા ક્યાં જશે ? આ એક ભયંકર અને પીડાદાયક બાબત છે. જો પરિવારના વરિષ્ઠ સભ્યો ગુસ્સે થશે તો તેની અસર ચૂંટણી પર પડશે.  અને સરકારને તેની અસર ભોગવવી પડશે. વરિષ્ઠ નાગરિકોની સંભાળ કોણ રા

इस ब्रिटिश गोरी महिला की बात सुनें । हिंदी भाषा पर उनकी पकड़ और हमारी हिंदू संस्कृति की व्याख्या वास्तव में सराहनीय है

 इस ब्रिटिश गोरी महिला की बात सुनें । हिंदी भाषा पर उनकी पकड़ और हमारी हिंदू संस्कृति की व्याख्या वास्तव में सराहनीय है। हमारे सनातन धर्म की ताकत को देखें, जिसने एक विदेशी को भी आकर्षित किया है... उसके धैर्य को देखें, भले ही उसका बच्चा बात-बात में उसे परेशान कर रहा हो वह सबसे कम परेशान है... वह सभी के लिए सम्माननीय और प्रणाम की पात्र है.

વિડીયો જોવો તમને ચોક્કસ ગમશે ઉત્કૃષ્ટ મૂવી !!! જ જોઈએ

 આ મૂવીએ શ્રેષ્ઠ એનિમેટેડ મૂવી માટે ઓસ્કાર જીત્યો છે..તેની અવધિ માત્ર 3 મિનિટ છે.... જુઓ કે જ્યારે આપણી ધારણા બદલાય છે ત્યારે જીવન કેવી રીતે બદલાઈ શકે છે. આ વિડીયો જોવો તમને ચોક્કસ ગમશે ઉત્કૃષ્ટ મૂવી !!! જ જોઈએ

વાહ, ચાવડા પરિવારના યુવાનોમાં અદકેરી ધાર્મિક ભાવના : ભાવપરમાં શ્રી મેલડી માતાજીના મંદિરના પુનઃનિર્માણની સેવામાં લાગ્યા!

  વાહ, ચાવડા પરિવારના યુવાનોમાં અદકેરી ધાર્મિક ભાવના : ભાવપરમાં શ્રી મેલડી માતાજીના મંદિરના પુનઃનિર્માણની સેવામાં લાગ્યા! ઉપર તસવીરમાં દેખાતા તમામ યુવાનો જે ચાવડા પરિવારના યુવાનો છે અને હાલમાં તેઓ માળિયા તાલુકાના ભાવ પર ગામમાં વાળા મેલડી માતા ના મંદિરનું પુનઃ નિર્માણ કાર્યમાં લાગેલા છે અને ચાવડા પરિવારની એકતા તેમજ તેમના પરિશ્રમથી માતાજીનું મંદિર નવનિર્માણ પામી રહું છે તો ખરેખર આ એક ખૂબ સારી નિશાની કહેવાય અને સમાજ એકતાની આ એક સારી પ્રવૃત્તિ કહેવાય આ તમામ પ્રવૃત્તિના માર્ગદર્શક શ્રી દામજીભાઈ ચાવડા જેવો નિવૃત પોસ્ટ કર્મચારી છે તેમના માર્ગદર્શન જડે ચાલી રહ્યું છે તો મને માહિતી મળી કે સમાજ એકતા ની આ એક સારી પ્રવૃત્તિ અને પાછી ધાર્મિક પ્રવૃત્તિ ચાલી રહી છે તો આ પ્રવૃત્તિને મંથન ગ્રુપ દ્વારા બીરદાવા માં આવે છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે આ કાર્ય માં સતત રાજકોટ થી સીએ નું કામ કરતા મિલન ઉફે કાનાભાઈ અશોકભાઈ ચાવડા હાજર રહી પૈસા તથા શ્રમ કરી રહ્યા છે.

શ્રી કાળેશ્વર મહાદેવ ટીંબે, નિલાખા, તા. ઉપલેટા જિ. જૂનાગઢ જયંતિભાઈ આહીર

 શ્રી કાળેશ્વર મહાદેવ ટીંબે, નિલાખા, તા. ઉપલેટા જિ. જૂનાગઢ જયંતિભાઈ આહીર લેખક: જયંતિભાઈ આહીર પૂર્વજોના રૂપ, ગુણ અને સંસ્કાર વારસામાં મળે છે. ધર્મ, રીત-રિવાજ, પરંપરાઓ અને સંસ્કાર વારસામાં ઉતરી આવતા સમજદાર સંતાનો પૂર્વજોને વધુ ઉજળા કરી દેખાડે છે. જ્યારે કપાતરો તેના કુકર્મો થકી તેના પૂર્વજોને શાંતિથી જંપવા દેતા નથી. પૂર્વજો વિશે આપણે વંશાવળી, વંશનો આંબો વગેરે જોયા છે. આપણા શરીરમાં પૂર્વજોનું લોહી વહેતું હોય આપણે તેને જોયા હોય કે ન હોય પણ સુખ-દુ:ખમાં આપણે તેને સદૈવ યાદ કરતા રહીએ છીએ. પૂર્વજો ક્યારેય તેના વંશજોને નડતા નથી. એ તો સંતાનોને સદૈવ આશીર્વાદ આપી તે સુખી રહે તેવું ઈચ્છતા હોય છે. આપણા શરીરમાં શ્વાસ-ઉચ્છવાસ સાથે પૂર્વજોના પુણ્ય ધબકતા રહે છે. આપણે માનીએ કે ન માનીએ મા-બાપ સાથે આપણા પૂર્વજો એક અદીઠી સાંકળની કડી તરીકે હતા, છે અને રહેશે. યુવાન મા-બાપ ક્યારે ઘરડા થઈ ગયા ? તેની જેમ ખબર ન રહી તેમ આપણે ક્યારે ઘરડા થઈ પૂર્વજો બની જઈશું તેની આપણને ખબર નથી. આ વાતને ધ્યાનમાં રાખો તો આપણી આગળ - પાછળ માત્ર પૂર્વજો છે અને પૂર્વજો રહેશે. હું માનું છું કે, ‘મારા પૂર્વજો મારા હ્રદયમાં વસી મને

પાણી પુરવઠા,રક્ષા મંત્રાલય,ફોરેસ્ટ,ખાણખનીજ,આરોગ્ય,કેન્દ્ર પોલીસ,રાષ્ટ્રપતિ ભવન,UPSC,NIA,IB,NCB, & CISF માં 5369 કલાર્ક,ઓફિસર,ઇન્સ્પેક્ટર,સ્ટોરકિપર અને ડેટા એન્ટ્રી ઓપરેટર ની ભરતી

 *ઓનલાઇન ફોર્મ ભરવા માટે* *જોબપોર્ટલ રોજગાર કેન્દ્ર* _*ઓફિસ ન.103,ટ્રેડ સેન્ટર કોમ્પ્લેક્સ,કલેકટર બંગલો ની પાછળ,પ્રગતિ કલાસીસ પાસે મોરબી*_ *મો. 99248 89962* ✅ *ધો.10 થી લઈને કોલેજ પાસ માટે સરકારી ભરતી* ✅ ------------------------------------ 1⃣ *પાણી પુરવઠા,રક્ષા મંત્રાલય,ફોરેસ્ટ,ખાણખનીજ,આરોગ્ય,કેન્દ્ર પોલીસ,રાષ્ટ્રપતિ ભવન,UPSC,NIA,IB,NCB, & CISF માં 5369 કલાર્ક,ઓફિસર,ઇન્સ્પેક્ટર,સ્ટોરકિપર અને ડેટા એન્ટ્રી ઓપરેટર ની ભરતી* લાયકાત: ધો.10 પાસ થી કૉલેજ પાસ સુધીના કોઈ પણ વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે વયમર્યાદા : 18-30 વર્ષ (SC/ST - 35, OBC - 33 વર્ષ સુધી) *::: ફોર્મ ભરવા સાથે ડોક્યુમેન્ટ :::* 1 - ધો.10 અને તેના પછીની માર્કશીટ 2 - આધાર કાર્ડ 3 - પાસપોર્ટ ફોટો ⏩ *તમારા મિત્રો સાથે શેર કરો* ⏩

૪૫ની ઉંમર પછી જો સુખી રહેવુ હોય તો

 ૪૫ની ઉંમર પછી જો સુખી રહેવુ હોય તો મૂર્ખ સામે મૌન ધારણ કરવું. જ્ઞાનીને ખૂબજ આદરપૂર્વક જાગરૂકતાથી સ્વીકારી આપણને જે પ્રાપ્ત થયું છે તેને યથાયોગ્ય સાંભળવા. બાકી સર્વેને ફક્ત ગરિમાપૂર્ણ સ્મિત આપવું. ગણવું, કોઈનામાં દખલ કરવી નહીં અને કોઈને આપણી સ્વતંત્રતામાં દખલ કરવા દેવી નહીં. કોઈ પણ સંકોચ વગર સ્મિત સાથે પ્રણામ, આભાર ત્થા સોરી શબ્દનો ઉપયોગ કરવો. લોકો આપણા માટે શું ધારશે તેની ચિંતા છોડી દેવી. કોઈના આદર કે માનપાન પામવાની મથામણમાં પણ પડવું. નહીં. સફળ વ્યક્તિ ઇર્ષા નોતરે છે અને નિષ્ફળ વ્યક્તિ ટીકા તથા મજાક નોતરે છે. માટે સામાજિક પ્રમાણપત્રોને તકલાદી ગણવા. શરીર, સમય, સંપતિ અને સંબંધો અલ્પકાલીન છે,  પૈસા, સમાજ અને કુટુંબથી પણ વિશેષ મૂલ્યવાન આપણું શેષ જીવન છે. આ સમય જ આપણા જીવનની અંતિમ ઈમપ્રિન્ટ તૈયાર કરશે. માટે આપણી કાર્યશીલતા, તંદુરસ્તી, શોખ, વૈચારિક, આધ્યાત્મિક અને આંતરીક શક્તિને ઉચ્ચ સ્તરે વિકસિત કરવા માટે અધિક સમય આપવો. અકારણ બિચારાપણુ વ્યક્ત કરવું નહીં. ટીકા ટિપ્પણીથી દુર રહેવુ. કુદરત પર અતૂટ વિશ્વાસ રાખી ફકત દ્રષ્ટાભાવે પરમ આનંદ અને શાંતિની પૂર્ણ અનુભૂતિ કરવી.

ચૈત્ર મહિનો મહિનો એટલે કીડીને કીડીયારું પૂરવાનો મહિનો.

ચૈત્ર મહિનો મહિનો એટલે કીડીને કીડીયારું પૂરવાનો મહિનો.   ચૈત્ર મહિનો કીડી માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો છે.* *આપણે બીજે કશે ના જઈ બસ  શકીએ પરંતુ આપણી સોસાયટીમાં કે તેની આસપાસમાં રહેલા ઝાડ પાસે પોચી માટીમાં તો કીડીયારું પુરવાનું પુણ્યકાર્ય તો કરી જ શકીએ છીએ . . .* *કીડીયારું બનાવવાની રીત :-* બાજરાનો લોટ* *રવો* દળેલી સાકર* *સફેદ તલ* *અને થોડું ઘી.* *આટલું મિક્સ કરીશું એટલે કીડીયારું તૈયાર . . .* *આપણી સૂચના પ્રમાણે કરિયાણાની દુકાનવાળા પણ આ મિક્સચર બનાવી આપે છે. *🙏 હા, પણ જેટલું બને એટલું આ શુભ કાર્ય રોજ ને રોજ કરજો. ચૈત્ર મહિનો  ચાલુ થઈ રહ્યો છે. ( તા. ૨૨.૦૩.૨૩ થી ૨૦.૦૪.૨૩ )* *🙏 કીડીયારું પૂરવાનો લાભ અચૂકલેશોજી. *🙏 એક મૂક જીવને સંતોષ આપવા પ્રયત્ન કરજો.* *🙏એક મુઠ્ઠી કીડીયારું સેંકડો કીડીઓનો ખોરાક બની શકે છે.*. મંથન

વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.) કહે છે....

વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.) કહે છે.... વિશ્વ આરોગ્ય સંસ્થા 70% લોકો ખોરાક સંબંધિત બીમારીઓ માટે ડૉક્ટર પાસે જાય છે. કેન્સર, હૃદયરોગ, ડાયાબિટીસ જેવી 70% જીવલેણ બીમારીઓ ખોટી ખાનપાનને કારણે થાય છે. પૌષ્ટિક આહાર અને સ્વસ્થ જીવનશૈલી દ્વારા 50% રોગો મટાડી શકાય છે.

પ્રવાસનો 11મો દિવસ ભાગ -19 21 નવેમ્બર 2022, રોયલ પેલેસ, અંગકોર વાટ, કંબોડિયા:જયંતિભાઈ આહીર

 પ્રવાસનો 11મો દિવસ ભાગ -19  21 નવેમ્બર 2022, રોયલ પેલેસ, અંગકોર વાટ, કંબોડિયા:જયંતિભાઈ આહીર લેખક: જયંતિભાઈ આહીર પીરામીડ આકારનું ભવ્ય ફીમેનાકાસ મંદિર જોઇ અમો અંગકોર થોમનો પ્રસિદ્ધ રોયલ પેલેસ જોવા આગળ વધ્યા. આશરે 14 હેકટરમાં પથરાયેલો રોયલ પેલેસ અંગકોર થોમના રાજા સૂર્યવર્મન I-એ બંધાવ્યો હોવાનું મનાય છે. રાજા સૂર્યવર્મન 1-એ કંબોડિયાની રાજધાની કોહ કેરથી અંગકોર થોમ ખસેડતા અહીં 10-11મી સદીમાં રોયલ પેલેસ બંધાવ્યો, જે અંગકોર થોમના વિજય દ્વાર અને બેયોન મંદિરની સીધી લીટી પર આવેલો છે.  લંબચોરસ આકારનો રોયલ પેલેસ ઉત્તર-દક્ષિણ 246 મીટર અને પૂર્વ-પશ્ચિમ 585 મીટર સાથે 5 મીટર ઊંચી લાલ રેતીયા પથ્થર (લેટેરાઇટ)ની દિવાલોથી સુરક્ષિત હતો. રોયલ પેલેસના દક્ષિણમાં બે, ઉત્તરમાં બે અને પૂર્વમાં સૌથી મોટો વિક્ટરી ગેટ એક સાથે કુલ પાંચ ગોપુરમ (દરવાજા) આવેલા હતા. જે રાજા સૂર્યવર્મન I દ્વારા બાંધવામાં આવ્યા હોવાનું મનાય છે. પૂર્વીય દરવાજા બહાર રોયલ પેલેસને સુરક્ષિત રાખવાના હેતુથી પાણીની ઊંડી ખાઈ બનાવવામાં આવેલી જોવા મળે છે.  રોયલ પેલેસ, અંગકોર થોમ ઇસુની 11થી 16મી સદી સુધી રાજ પરિવારનું નિવાસ બની રહેલો. રોયલ પેલેસમાં સ

આજે વિશ્વ મહિલા દિવસની સર્વે મહિલાઓને શુભેચ્છાઓ

  આજે વિશ્વ મહિલા દિવસની સર્વે મહિલાઓને શુભેચ્છાઓ પુત્રી, મિત્ર, બહેન,માતા, પુત્રવધુ, અને સૌથી મહત્વની જગ્યા પત્ની. એક સાથે બધા રોલ ભજવવાના અને પરિવારને જોડીને રાખવાનો. કોઈ કલાકારને પૂછો તો ખબર પડે કે એક જ વ્યક્તિ એ એક જ નાટક/મુવી મા જો એક કરતા વધારે રોલ ભજવવાના હોય તો કેટલી મુશ્કેલી પડે અને છતાંયે એકાદ રોલને 100% ન્યાય આપી શકાતો નથી. આજે પુરૂષ સમોવડી કરતા એકબીજાના પૂરક બનવાની જરૂર છે.આજે શિક્ષણ કે બિઝનેસમા પણ મહિલા આગળ આવી છે અને પોતાનું કૌશલ્ય બતાવ્યું છે.નારીએ જાતે જ આજે અબળા રહેવાનું નથી કાયદો પણ સંરક્ષણ આપે છે. દરેક મહિલાને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે ધુળેટી ના પર્વ નિમિત્તે સર્વેને શુભકામનાઓ અને જીવન પણ આવી રીતે જ રંગબેરંગી રહે તેવી શુભેચ્છાઓ 

મોબાઈલથી Happy Holi કહેવા માટે ઘણા છે.

મોબાઈલથી Happy Holi કહેવા માટે ઘણા  છે. પણ, એક ચપટી કલર કોઈ આવીને લગાવી જાય  એવા લોકો દિવસે દિવસે વિલુપ્ત થતા જાય છે. હું આજે પણ બાળપણમાં લગાવેલા એ કલરને યાદ કરીને વિચારું છું  કે એમાં એવું ક્યુ કેમિકલ હતું કે આટલા વર્ષો પછી  એનો કલર ઝાંખો પડતો નથી ?? લાગણીથી લગાવેલ કલરના લીસોટા  આત્મા સુધી પહોંચતા હોય છે.  નાનપણમાં કલર લગાવવાવાળા કહેતા કે   "ડરવાની જરૂર નથી આ તો કાચો કલર છે ". એ કાચા કલરની અનુભૂતિ વારંવાર કહે છે કે  આનાથી પાક્કો કલર દુનિયામાં બન્યો જ નથી....!! આપ સર્વેને હોળી તેમજ ધુળેટીની હાર્દિક શુભકામના....!

🌸 રાજકોટ નો ઈતિહાસ

 *🌸 રાજકોટ નો ઈતિહાસ🌸* *🌸જેટ ગતિએ આગળ ધપતુ સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ આજે મેગા સીટીની રેસમાં દોડી રહ્યુ છે. વધતા જતા હાઈરાઈઝડ બીલ્ડીંગો અને મોલકલ્ચરે રંગીલા રાજકોટને કંઈક અનોખુ જ બનાવી દીધુ છે પણ આજ રંગીલુ રાજકોટ જયારે બ્લેક એન્ડ વ્હાઈટ હતુ એટલે કે જયારે તેની સ્થાપના થઈ ત્યારે કેવુ હતું ?* *તેની કલ્પના જ અનોખી છે. રાજા - રજવાડાના વખતમાં રાજકોટની સ્થાપના થઈ ત્યારથી લઈ રાજકોટ શહેરનો કઈ રીતે વિકાસ થયો ?*  *તે જાણવા રાજકોટના રાજવી પરીવારના તસ્વીરકાર એટલે કે સ્ટેટ ફોટોગ્રાફર ૮૦ વર્ષના વડીલ શ્રી ભરતભાઈ જોષીની મુલાકાત લેવી જ પડે. આ જોષી પરીવારનો રાજવીઓ સાથે વર્ષોથી ઘરોબો રહ્યો છે.* *રાજકોટના ઈતિહાસને અતિતની અટારીએથી ઉતારતા શ્રી ભરતભાઈ જોષીએ જણાવ્યુ હતું કે રાજકોટ શહેર નુ ઉદ઼ગમ સ્થાન બેડીનાકા પૂઁવ મા બેડીપરા શહેરની રાજગાદી સૌ પહેલા સરધાર હતી. રાજકોટના રાજા અહિં આવ્યા અને એક ટીમ્બા પર કોટ બનાવ્યો. જેના પર રાજકોટ શહેરનું નિર્માણ થયુ.* *સૌ પહેલા રાજકોટની સ્થાપના રાજકોટના રાજવી પરીવારે કોઠી કમ્પાઉન્ડમાં કરી હતી. જયાં પહેલા કોટેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી તે પહેલા જમીનમાં સોનાનો મોટો ખીલ્લો