Skip to main content

Posts

Showing posts from October, 2021

પ્રાણદાતાને કદી હણશો નહિ .

એક વનભૂમિમાં એક મહાત્માનો આશ્રમ હતો . આશ્રમને ફરતે લીલીછમ વૃક્ષ ઘટાઓ હતી ; મંદ મંદ પવનમાં તે લહેરાતી અને તેમાં પક્ષીઓ ટહૂકતા . મહાત્મા પ્રકૃતિનો તે વૈભવ જોઈ રહેતા અને પ્રસન્ન થતા . વૃક્ષો એમને અતિ પ્રિય હતા . તે કહેતા , ‘ તરુવર સદા હિતકારી , ’ ’ અને તેથી તેઓ તેની એક પણ ડાળી કાપવા દેતા નહિ . તેમની સાથે એક શિષ્ય રહેતો હતો , પણ તે હજી કાચો ઘડો હતો . તેને બહુ ગોઠતું નહિ . તે એક વખત મહાત્મા પાસે ગયો અને કહ્યું , ‘ ‘ મારે સંસારમાં પાછું ફરવું છે . ' ' મહાત્માએ કહ્યું , ‘ ‘ ભલે વત્સ , પ્રભુ ભજન સંસારમાં પણ થાય ! તું ખુશીથી જા , પણ દક્ષિણા આપતો જા ! ’ ’ શિષ્યે કહ્યું , ‘ ‘ માંગો પ્રભુ ! ’ ’ મહાત્માએ કહ્યું , ‘ ‘ મને વચન આપતો જા કે હું કદી વૃક્ષો કાપીશ નહિ . ’ ’ શિષ્ય વચન આપ્યું અને ચાલી નીકળ્યો . તે એક ખેડૂત ભેગો રહેવા લાગ્યો . તેને બહોળી ખેતી હતી , અને માણસની જરૂર હતી . તે ખરેખર ‘ માણસ ’ પુરવાર થયો . તે આખો દિવસ ખેતરમાં કામ કરતો , બદલામાં બે ટંક રોટલો માંગતો . ખેડૂત તેનાથી ખુશ હતો . ખેડૂતને જુવાન દીકરી હતી . ખેડૂત તેને માટે ઠેકાણું ગોતતો હતો . ખેડૂતની પતીની નજરમાં એ જુવાન વસી ગયો

મૌન : એક પ્રકારનું તપ

 મૌન : એક પ્રકારનું તપ   આપણે બોલવાની બાબતમાં સાવચેતી રાખવી જોઈએ કારણ કે જીભ દ્વારા આપણી ઘણીબધી શક્તિ વેડફાય છે . જેવી રીતે આપણે એકાગ્રતામાં , સમાધિમાં ભાગ લઈએ છીએ તેવી રીતે જીભનો પણ સંયમ છે . તેનો આપણે મૌન દ્વારા અભ્યાસ કરીએ છીએ . અત્યારે આપને બે કલાકનું મૌન બતાવવામાં આવ્યું હશે . ન બતાવવામાં આવ્યું હોય તો હવે હું બતાવી દઉં છું કે આપે દ ૨૨ોજ સવારે બે કલાક મૌન રહેવું જોઈએ . ગાંધીજી અઠવાડિયામાં એક દિવસ મૌન રાખતા હતા . તેમને મળવા આવનારાઓની ભીડ જામી રહેતી હતી . એમને ખૂબ જરૂરી કામ કરવાં પડતાં હતાં છતાં તેઓ મૌન રહેતા હતા . મૌન રહેવાથી તેમની શક્તિઓ બચી જતી હતી . આપે પણ આપની વાણીની , સરસ્વતીની શક્તિની બચત કરવા માટે બિનજરૂરી વાતચીતથી દૂર રહેવું જોઈએ . બિનજરૂરી વાતો ન કરો . નકામી લપલપ , અહીં - તહીંની વાતો ન કરો . ગપ્પાં ના મારો . એમાં આપની શક્તિઓ ક્ષીણ થાય છે અને આપે મંત્ર માટે જે સામર્થ્ય સંચિત કરવું જોઈએ તેમાં ઓટ આવે છે . આપ ઓછું બોલો . જરૂર પૂરતું જ બોલો . મહત્ત્વનું હોય એવું જ બોલો . વિચારપૂર્વક બોલો . આ પણ એક પ્રકારનું મૌન છે . મૌન : એક પ્રકારનું તપ

૬ વર્ષનો ભાઈ અને એની ૮ વર્ષની બહેન બંને ભાઇ બહેન બજાર મા ફરવા નીકળ્યા છે નાનો ભાઈ છટા થી આગળ ચાલે છે અને બહેન પાછળ છે

 ૬ વર્ષનો ભાઈ અને એની ૮ વર્ષની બહેન બંને ભાઇ બહેન બજાર મા ફરવા નીકળ્યા છે નાનો ભાઈ છટા થી આગળ ચાલે છે અને બહેન પાછળ છે થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં રમકડા ની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે ભાઈ નજીક આવી ને પૂછે છે "કેમ તારે કાંઇ લેવુ છે ?" બહેને ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું ભાઈ એ બહેન ની આંગળી પકડી અને એક વડીલ ની અદા થી બહેન ને એ ઢીંગલી હાથ મા આપી બહેન ખુબ જ ખુશ થઇ કાઉન્ટર પર બેઠેલો વેપારી આ ભાઈ બહેન ને બહાર થી જોતા હતા અને ભાઈ ના માસુમ વડપણ ને નીરખી ને મનમાં મુસ્કુરાતા હતા કાઉન્ટર પાસે આવીને ચાર વર્ષનો એ બાળક બોલ્યો 'આ ઢીંગલી નુ શું છે ?' "જીવતર ને ઘોળીને પી ગયેલા" એ વેપારી એ કહ્યું 'તમારી પાસે શું છે ?' બાળકે ચડ્ડી ના ખીસ્સામાં થી સમુદ્ર ના છીપલા કાઢ્યા અને કાઉન્ટર પર મુક્યા પેલા વેપારીએ એ જ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમીભરી દ્રષ્ટિ કરી અને જેમ રુપિયા ગણે એમ છીપલા ગણ્યા બાળકે કહ્યું 'કેમ ઓછા છે ?' વેપારી કહે 'ના આમાંથી તો વધશે' વધેલા છીપલા ફરી ખીસ્સામાં નાખી અને ઢીંગલી રમાડતાં એ બાળકો તો જતાં રહ્

એક રચના ..ક્યાંથી ફાવે...?

 એક રચના  ..ક્યાંથી ફાવે...? બીતાં બીતાં  જીવવું    સાલું ક્યાંથી ફાવે..? સુક્ષ્મોને કરગરવું સાલું ક્યાંથી ફાવે..? મેલા ઘેલા હાથોને ઘસી લઈએ તોય ચાલે  ચોખ્ખાચટ્ટને ઘસવું  સાલું ક્યાંથી ફાવે..? ના ભેટા ભેટી, ના ધબ્બા ધબ્બી, અને ના ઉષ્મા કે હૂંફ વીના, બસ આઘા ઉભા ઉભા હસવું સાલું ક્યાંથી ફાવે..? લોભામણાં રૂપ ને  કાળા પડદા પાછળ છુપાવી  અંદરથી સમસમવું   સાલુ ક્યાંથી ફાવે..? હાલની મારી પરિસ્થિતિને સમજી  *પ્રભુ તને પણ પૃથ્વી પર અવતરવું*         *સાલુ ક્યાંથી ફાવે..?*

 🌳પીપળા અને શનિદેવનુ મહત્વ જાણો

 🌳પીપળા અને શનિદેવનુ મહત્વ જાણો.     સ્મશાનમાં જયારે મહર્ષિ દધીચિના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા તો એમના પત્નિ વિયોગ સહન ના કરી શક્યા અને પાસે વિશાળ પીપળાના ઝાડ નીચે તેમના ત્રણ વર્ષના પુત્રને મુકી ને સળગતી ચિતામાં બેસીને સતી થઈ ગયા પીપળાના ઝાડ નીચે ભુખથી રડતુ બાળક પીપળાના નીચે પડેલા પાન, ને ફળ ખાઈને દિવસો પસાર કરવા લાગ્યુ અને ધીમે ધીમે પીપળાને જ ઘર માની ને મોટુ થવા લાગ્યો,એક દિવસ દેવર્ષિ નારદ ત્યાથી નિકળ્યા ને બાળકને પુછ્યુ તું કોણ છો? બાળક કહે કે ... એ જ તો હુ પણ જાણવા માંગુ છુ.  નારદજી: તારા માતા પિતા કોણ છે? બાળક કહે એ મને ખબર નથી. તમે મને કૃપા કરી ને બતાવો. ત્યારે નારદજી એ ધ્યાન ધરી ને કહ્યુ કે બાળક તુ મહાન દાનવીર મહર્ષિ દધીચિનો પુત્ર છે. તારા પિતાની અસ્થીમાંથી જ વ્રજ બનાવીને દેવોએ અસુરો પર વિજય મેળવ્યો હતો. તારા પિતાનુ એકત્રીસ વર્ષની ઉંમર માંજ મૃત્યુ થયુ હતુ. બાળક : મારા પિતાના મૃત્યુનું કારણ શું હતુ?  નારદજી: તારા પિતા પર શનિદેવની મહાદશા હતી. જે પણ કઈ તારી સાથે થયુ. તે શનિદેવની મહાદશાને કારણે થયું. નારદજીએ બાળકનું નામ પીપલાદ રાખીને જતા રહ્યા પીપલાદે નારદજીના

માં-બાપ ની અમુક ટેવ ઉપર જો તમને ગુસ્સો આવતો હોય તો જરૂર વાંચશો...

 માં-બાપ ની અમુક ટેવ ઉપર જો તમને ગુસ્સો આવતો હોય તો જરૂર વાંચશો... આ વાંચી લીધા બાદ જો દિલ ના ભરાઇ આવે તો તમે માણસ નહી ...              *ઘડપણનો બળાપો* બાળકે દાદાને પૂછ્યું " ઘડપણ " એટલે શું દાદુ..? દાદા -- તારી મમ્મીને સમય મળે ત્યારે.... - ચા બનાવે ને ત્યારે પીવા મળે તે ( ધડપણ ) - ચાનો કપ લેતા હાથ ધ્રુજે તે ( ઘડપણ ) - ધ્રુજતા હાથે ચા પીતા પીતા થોડી ઢોળાય....  ને જાતે પોતું મારવું પડે... નહીં તો તારી મમ્મી રાડું નાખે તે ( ઘડપણ ) - સવારમાં નાસ્તો કરવાનું બંધ થાય તે ( ધડપણ ) - નાહી ધોઈને તૈયાર થઈને બહાર વહ્યું જવાનું  ને જમવા ટાણે ઘેર આવવાનું તે *ઘડપણ* - બપોરે જમીને સૌથી અલગ રૂમમાં 4 વાગ્યા સુધી.   - ઊંધ આવે કે ના આવે પડ્યું રેવાનુ તે ( ધડપણ ) - નીચે ઉતરીને બહાર જતા હોઈયે ત્યારે નીચે છોકરા ને તેની મમ્મી નાસ્તો કરતા હોય.... પણ....,જોઈને રાજી થવાનું..., ને પેટ ને મનાવી લેવાનું.... ને સાંજ સુધી બહાર રેવાનું.... *તે (ધડપણ )* -વાત થતી હોય છોકરાની બોલે કઇક એના મમ્મી એને અને સંભળાવતા હોય કોઇ ને.... એનુ નામ *ઘડપણ* -જો શાક મા મીઠુ ઓછુ હોય કે કઇક જોતુ હોય તો પતી ને કે તમારા મમ્મ

હું ઈશ્વર છું

 હું ઈશ્વર છું તમે કરોડો છો ને હું એક છું મારે પડી રહેવું હોય પણ તમારે મંગળા આરતી કરવી હોય એટલે મને વાઘાં પહેરાવીને બાબલાની જેમ તૈયાર કરી દો છો ભોગ મને ધરાવો છો ને આરોગો છો પોતે જે દિવસે એક જલેબી ચાખીશ એ દિવસથી પ્રસાદ ધરાવવાનું બંધ થઈ જશે તે જાણું છું લગ્ન નથી થતાં તે મંગળફેરા માંગે છે સંતાન નથી તે ઘોડિયું માંગે છે કોઈને નોકરી જોઈએ છે તો કોઈને છોકરી માબાપ ખાસ જોઈતાં નથી પણ મિલકત બધાંને જોઈએ છે કોઈ કમાવા માંગે છે તો કોઈ ચોરી કરવા માંગે છે કોઈને બજાર ઊંચું લઈ જવું છે તો કોઈને મફતનું જોઈએ છે કોઈ રોટલો માંગે છે તો કોઈ ઓટલો મહામારી હું લાવ્યો નથી પણ તે કાઢવાનું મને કહેવાય છે જે આવે છે તે ઘંટ ખખડાવીને મારા કાન કોતરે છે હું કોઈનું કામ નથી કરતો તો મારા પરની શ્રદ્ધા ઘટી જાય છે કોઈનું કામ થઈ જાય છે તો મને મહાભોગ ચડે છે વરસાદ નથી આવતો તો યજ્ઞ થાય છે આકાશ ખાબકે છે તો ખમ્મા કરવાનું મને કહેવાય છે પણ સાચું કહું હું કોઈનું કૈં કરતો નથી નથી હું પરણાવતો કે નથી કોઈનું છૂટું કરતો જંગલ હું નથી કાપતો હાઇરાઈઝ મેં નથી બાંધ્યાં અમીર હું નથી કરતો ગરીબી મેં નથી આપી તમને લીલીછમ પૃથ્વી આપી તે રહેવા માટે એની તમ

માઁ-બાપનાં આશિર્વાદ થી સુખી રહેવાય છે..

  માઁ-બાપનાં આશિર્વાદ થી સુખી રહેવાય છે..              ક્યારેક એસી માં બેસીને ઠંડકનો અનુભવ કરો ને ત્યારે સમજજો કે તે પહેલાના સમયમાં *માં બાપે પાડેલા પરસેવાની ઠંડક છે*, ક્યારેક ઘરની બહાર નીકળતા બે ડગલા પણ ના ચાલવું પડે તો સમજજો કે તે *માં બાપના ઘસાઈ ગયેલા પગની રહેમત છે*,   ક્યારેક સમય કરતા વહેલા જમવાની થાળી તૈયાર મળી જાય ત્યારે સમજજો કે તે ક્યારેક *ભૂખ્યા રહીને સુઈ ગયેલા માં બાપની મહેરબાની હશે*,   ક્યારેક વગર કારણે સુખની અનુભૂતિ થાય અને જીવન સંપૂર્ણ લાગે ત્યારે સમજજો કે તે હૃદયથી ગરીબ રહેલા *માં બાપના ચાર હાથના આશીર્વાદનો પ્રતાપ છે*..  બધું મે કર્યું મે કર્યું મે કર્યું જ નહી.. તે તમે ત્યારે જ કર્યું હશે જયારે તમને સૌથી પહેલા કોઈએ છાતી સરસું ચાપ્યું હશે, *તેના ધાવણથી તમને જીવન મળ્યું હશે જેની આંગળી અને ખભા પર બેસીને તમે દુનિયા જોઈ હશે.* એક અમેરિકન લંડન ની હોટલમાં ગયો ,જેવો તે દાખલ થયો,તેણે જોયુ કે એક ખૂણામાં એક ભારતીય પણ બેઠો હતો. તેથી તેણે કાઉનટર પર જઈ  પોતાનું પાકીટ કાઢ્યું અને બુમ પાડી,  “વેઈટર !હું આ હોટલ માં બેઠેલાં તમામ વ્યક્તિ માટે ખાવાનું મગાવું છું, ફક્ત ત્યાં બેઠેલાં ભારતી

રામચરિત માનસની કેટલીક રસપ્રદ હકીકતો

 રામચરિત માનસની કેટલીક રસપ્રદ હકીકતો   1: ~ રામજી લંકામાં 111 દિવસ રહ્યા.  2: ~ સીતાજી લંકામાં રહ્યા હતા = 435 દિવસ.  3: માનસમાં શ્લોક સંખ્યા = 27 છે.  4: માનસમાં ચોપાઇ સંખ્યા = 4608.  5: માનસમાં દોહા સંખ્યા = 1074.  6: ~ માનસમાં સોરઠા સંખ્યા = 207.  7: માનસમાં શ્લોક સંખ્યા = 86 છે.  8: ~ સુગ્રીવ પાસે તાકાત હતી =      10000 હાથી ની..  9: ~ સીતા રાણી બની = 33 વર્ષની ઉંમરે.  10: માનસની રચના સમયે તુલસીદાસની ઉંમર = 77 વર્ષ હતી.  11: પુષ્પક વિમાનની ઝડપ = 400 માઇલ / કલાક હતી.  12: રામદલ અને રાવણની ટીમ વચ્ચે યુદ્ધ = 87 દિવસ.  13: ~ રામ રાવણ યુદ્ધ = 32 દિવસ ચાલ્યું.  14: ~ પુલ બાંધકામ = 5 દિવસમાં પૂર્ણ.  15: ~ નલનીલના પિતા = વિશ્વકર્મા જી.  16: ~ ત્રિજટા ના પિતા = વિભીષણ.  17: ~ વિશ્વામિત્ર રામને લઈગયા= 10 દિવસ માટે..  18: ~ રામ એ પ્રથમ રાવણનો વધ કર્યો હતો = 6 વર્ષની ઉંમરે.  19: ~ રાવણ પુનર્જીવિત થયો = સુષેન વૈદે નાભિમાં અમૃત રાખ્યું.  શ્રી રામના પરદાદાનું નામ શું હતું?  નહિંતર જાણો-  1 - હું બ્રહ્માજીથી મરીચ થયા,  2 - મરીચીનો પુત્ર કશ્યપ બન્યો,  3 - કશ્યપનો પુત્ર વિવસ્વાન હતો,  4 - વિવસ્વ

કોની સાથે ભાગીદારી કરવી અને કોને વેવાઇ બનાવવો પ્રેરણાત્મક કહાની ....

 કોની સાથે ભાગીદારી કરવી અને કોને વેવાઇ બનાવવો પ્રેરણાત્મક કહાની .... કોઇ ની સાથે ભાગીદારી કરવી કે વેવાઇ બનાવવા એટલે જીંદગીના અમુક વર્ષો આપવા અને સંપતી - સમય અને સંપતી આપવી ...જે આગળ જતા મનદુઃખ ના કારણ બને છે હોશીયાર માણસ તો બધુય ચકાસી ને લે છે પણ સામાન્ય માણસ તો લગભગ લગભગ કોઇ ના કહેવા પર સબંધ બાંધે છે અને ક્યારેક ટાણે કટાણે છેતરાય છે કોઇ ને વેવાઇ ભાગીદાર કરતા પહેલા થોડોક અભ્યાસ કરવો જેમ કે ... રોટલા ની ઉદારતા ÷ જેની સાથે પણ આ સબંધ બાંધો તે પહેલા તેની રોટલા ની ઉદારતા ચકાસો એક બે વાર જાણી કરી ભોજન સમયે જ મળો જો તેના માં રોટલા ની ઉદારતા કે વિવેક ના હોય તો આગળ સબંધ વધારવા નુ માંડી વાળવો ભલે ઇ શિરા પકવાન ના ખવડાવે પણ ઇ ખાય ઇ જ ખવડાવે પણ ખવડાવવા ની હોશ હોવી જોઇએ ...એમ કહે કે અરે પહેલા થી કહ્યુ હત તો ભેગા જમત ને એવી સુફીયાણી સલાહ થી છેટા રેજો અને જો તમારા ઘરે થી ટીફીન આવે તો જો ઘર માં અન્નપુર્ણા બેઠા હોય તો બે જણા જમી શકે એટલુ જ ટીફીન હોય ... ખીસ્સા ની ઉદારતા સાથે પ્રવાસ કરવો - જેની સાથે ઉપરોક્ત સબંધ બાંધવા છે તેની સાથે પ્રવાસ કરવો તે કેવી અગવડ ભોગવી ને સગવડ ભોગવે છે કે આપે છે સમયે ખીસ્સા

Success સંતોષજન્ય અર્થમાં સફળ થવા માટેનાં પથદર્શક 5 સૂત્રો .

 સંતોષજન્ય અર્થમાં સફળ થવા માટેનાં પથદર્શક 5 સૂત્રો . ૧૧. આહાર અને વ્યવહારમાં શુદ્ધતાની રક્ષા કરો . અનાવશ્યક સંકોચ તમારા શોષણ માટે અન્ય વ્યકિતને દ્વાર ખોલી આપે છે .  ૧૨. આવશ્યકતાઓ પરિપૂર્ણ થઈ શકે પણ સઘળી ઇચ્છાઓ નહીં . ઇચ્છાના અશ્વને બેફામ દોડવાની છૂટ ન આપશો .સમાન છે . ઇચ્છાઓનું નિયંત્રણ પણ દેવત્વ  ૧૩. પ્રગતિ એટલે પવિત્ર ગતિ , અધોગતિ ઇરાદા અને અશુદ્ધ સાધનોના પ્રયોગથી કામ પાર પાડવું . એ બંને વચ્ચેનો ભેદ સમજજો .  ૧૪. જે અહંકારી હશે , એ ભાગ્યે જ નેક અને નીતિવાન હશે .  ૧૫. તમારા પ્રત્યેક કાર્યને પરમાત્મા નિહાળી રહ્યો છે , એવી જાગૃતિ સાથે સંપન્ન કરજો . 

Success l સંતોષજન્ય અર્થમાં સફળ થવા માટેનાં પથદર્શક 5 સૂત્રો

  સંતોષજન્ય અર્થમાં સફળ થવા માટેનાં પથદર્શક 5 સૂત્રો . ૬. પ્રતીક્ષા નિષ્ફળ જ થશે એમ માનશો નહીં . ઈશ્વરની ચક્કીને પોતાની રીતે ઘઉંને લોટમાં બદલવાની આદત છે .   ૭. બીજાને પછાડવાનો લાગ શોધવા મન અને હૃદયમાં આગ જલતી ન રાખશો . 8.તમારા પૂર્વે થઇ ગએલા અનુભવીઓના જ્ઞાનનો લાભ લેજો અને એમણે કરેલી ક્ષતિઓનો ત્યાગ કરજો  9 . દ્રઢ સંકલ્પ જ દુર્લભ વસ્તુઓને નિકટ ખેંચી લાવનારું લોહચુંબક છે  10.બહારથી ભલે સાંસારિક રહો , પણ અંદરથી તો આધ્યાત્મિક જ રહેવું .

Spirituality _અનેક સમસ્યાઓનું સમાધાન - અધ્યાત્મ

  અનેક સમસ્યાઓનું સમાધાન - અધ્યાત્મ  અધ્યાત્મ એ કોઈ જાદુગરી નથી , પરંતુ વ્યક્તિ તથા સમાજને પ્રભાવિત તથા સુવ્યવસ્થિત કરનારી એક પ્રક્રિયા છે . તેમાં મુખ્યત્વે ચિંતન , ચરિત્ર અને વ્યવહારને ઉત્કૃષ્ટ બનાવવાં પડે છે . તેથી તેને વ્યક્તિવિજ્ઞાન , સમાજવિજ્ઞાન તથા નીતિશાસ્ત્ર પણ કહી શકાય . આ હકીકતને લોકોના મનમાં ઉતારવાથી એમાં સફળતા મળે છે . અધ્યાત્મ માત્ર થોડાક જિજ્ઞાસુઓના દાર્શનિક પ્રતિપાદનનો વિષય નથી . કેટલાક ભાવુક લોકો તેને કથા , પુરાણ કે સત્સંગ પ્રવચનની જેમ સાંભળે છે અને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે .  ધાર્મિક કર્મકાંડોના માધ્યમથી આચારવિચારમાં ભાવનાનો સમન્વય કરીને તેમને હૃદયંગમ કરવી પડે છે . કે પૂજાપાઠની પ્રક્રિયામાં મહાનતાના લક્ષ્યને નજર સામે રાખીને પાત્રતાનો વિકાસ કરવા માટે ધૂપ , દીપ , અક્ષત , પુષ્પ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે . સર્વતોમુખી ઉત્કૃષ્ટતાની વિભૂતિઓ તથા અતીન્દ્રિય ક્ષમતા કહેવાતી રિદ્ધિસિદ્ધિઓ આપોઆપ જ મળતી જાય છે અને અનેક લોકોનું ભલું કરે છે . ઈશ્વરને પ્રશંસા તથા ભેટસોગાદોથી ફોસલાવી શકાતો નથી કે પોતાની મનોકામનાઓની પૂર્તિ પણ થઈ શકતી નથી . આપણા બદલે ભગવાન કામ પૂરુ

કેવળ ભૌતિક દ્રષ્ટિએ નહીં , પણ સંતોષજન્ય અર્થમાં સફળ થવા માટેનાં પથદર્શક 5 સૂત્રો .

 કેવળ ભૌતિક દ્રષ્ટિએ નહીં , પણ સંતોષજન્ય અર્થમાં સફળ થવા માટેનાં પથદર્શક 5 સૂત્રો .  ૧. ઉન્નતિ તેની થાય છે , જે સન્નિષ્ઠ અને શુદ્ધ પ્રયત્નોથી ધ્યેય સિદ્ધ કરવા મથતો રહે છે . માત્ર ઊંચે ચઢવું એ ઉન્નતિ નથી .  ૨. વીતેલી વાતોનું વારંવાર સ્મરણ , આવતીકાલનું અતિ સ્મરણ અને આજની ઉપેક્ષા અનર્થો સર્જી શકે છે , એટલું યાદ રાખો . ૩. ક્રોધની આગથી શત્રુતાનો પુલ તૈયાર કરવાનો કદીયે વિચાર ન કરશો . ૪. પાપની કમાણીથી તિજોરી  ભરશો નહીં , બીજાના કાળજે ઘા કરે એવું બોલશો નહીં , રોગ નોંતરે એવું ખાવાની દાંત અને જીભને સ્વતંત્રતા આપશો નહીં . ૫ . ગૃહસ્થાશ્રમી બની બહેકશો નહીં , ધરમાં અને વ્યવહારમાં સંયમના ચોકીઆતને 24 કલાકની ડયૂટી આપજો  

એક વખત એક માણસ ના ખીસ્સામાં 2000.00 રૂપિયાની નોટ અને 1.00 રૂપિયાનો સિક્કો ભેગા થયા

  એક વખત એક માણસ ના ખીસ્સામાં 2000.00  રૂપિયાની નોટ અને 1.00 રૂપિયાનો સિક્કો ભેગા થયા સિક્કો તો અભીભૂત થઇને  નોટની સામે જોયા જ કરતો હતો નોટે પુછ્યુ,  આટલું ધ્યાન પૂર્વક  શું જુએ છે ? સિક્કાએ કહ્યુ,  આપના જેટલા  મોટા મૂલ્યની  વ્યક્તિ સાથે ક્યારેય મૂલાકાત  થઇ નથી એટલે  આપને જોવ છું આપનો જન્મ થયો ત્યારથી  અત્યાર સુધીમાં  આપ કેટલું બધુ  ફર્યા હશો  આપનું મૂલ્ય  મારા કરતા  હજાર ગણું વધારે છે  એટલે કેટલા લોકોને  ઉપયોગી થયા હશો ? નોટે દુ:ખી વદને કહ્યુ,  ભાઇ,  તું વિચારે છે  એવું કંઇ નથી  હું એક  ઉદ્યોગપતિ ના  કબજામાં હતી  એણે મને સાચવીને  એની તિજોરીમાં રાખેલી એક વખત મને  તિજોરીમાં થી  બહાર કાઢીને  એણે કરેલા  ટેકસ ચોરીના  કૌભાંડને ઢાંકવા માટે  લાંચ તરીકે  એક અધિકારીના  હવાલે કરી મને એમ થયુ કે  ચાલો જેલમાંથી છુટ્યા  હવે કોઇના  ઉપયોગમાં આવીશ  પણ મારા સપનાઓ  સપનાઓ જ રહ્યા  કારણકે અધિકારીએ  મને એના  બેંક લોકરમાં  કેદ કરી દીધી  કેટલાય મહિનાઓ બાદ  અધિકારીએ  એક મોટો બંગલો ખરીદ્યો  એટલે મને  બેંક લોકરમાંથી  બહાર નીકળવાની  તક મળી  જેવી બીલ્ડરના  હાથમાં આવી કે  એણે તો કોથળામાં પુરીને  એક અંધારી જગ્યા

એક ભાઈની ઘોડી ખોવાઈ ગઈ તો એણે માનતા રાખી 😁😆😂(ગુજરાતી જોક્સ).

એક ભાઈની ઘોડી ખોવાઈ ગઈ તો એણે માનતા રાખી કે જો મારી ઘોડી મળી જાય તો પાંચ માણસ જમાડીશ. તો એની ઘોડી મળી ગઈ. થોડા દિવસ પછી એની ગધેડી ખોવાઈ ગઈ તો ત્યારે પણ એજ માનતા માની કે જો મારી ગધેડી મળી જાય તો હું પાંચ માણસ જમાડીશ. તો ગધેડી પણ મળી ગઈ. એટલે પછી એણે માનતા પુરી કરવાનું નક્કી કર્યું અને 10 માણસ ને આમંત્રણ આપ્યું.   અને બે બાજુ પાંચ પાંચ ને બેસાડ્યા. અને માનતાનો સંકલ્પ મુકવાનો હતો ત્યારે કહ્યું. *જમણી બાજુ બેઠા છે એ પાંચ ઘોડીના છે અને આ ડાબી બાજુ બેઠા છે એ પાંચ   ગધેડીના છે* દસ જણાએ ભેગા થઈને માર્યો.....😂😂😂🤣🤣

WhatsApp_વોટ્સએપ પર આ રીતે એક જ વાર જોઈ શકાય તેવા વીડિયો અને તસવીર શેર કરો

  વોટ્સએપ પર આ રીતે એક જ વાર જોઈ શકાય તેવા વીડિયો અને તસવીર શેર કરો  વોટ્સએપ યૂઝર્સ માટે સ્નેપચેટ નામે એક નવું ફીચર તાજેતરમાં દાખલ કરવામાં આવ્યું છે . તે ફીચરને યૂઝર્સ પોતાના કન્ટેન્ટને એવા વીડિયો કે ફોટોના સ્વરૂપમાં મોકલી શકે છે કે જેને સામેના યૂઝર્સ માત્ર એકવાર જોઇ શકે . વોટ્સએપે આ ફીચરનું નામ વ્યૂ વન્સ રાખ્યું છે . તે ફીચરની મદદથી યૂઝર આપોઆપ ડિસએપિયર થતા મેસેજ સેન્ડ કરી શકશે . આ ફીચરની મદદથી મોકલવામાં આવતા વીડિયો કે તસવીર રીસીવર એકવાર જોઇ લે પછી આપોઆપ ડિલીટ થઇ જતા હોય છે . આ પ્રકારને નીચે મુજબ મેસેજ કરી શકાય . આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારી પાસે વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન હોવું જોઇએ .  વોટ્સએપ પર ડિસએપિયરિંગ તસવીર કે વીડિયો મોકલવા માટે તમારે સૌ પ્રથમ એપ ઓપન કરવું પડશે . તે પછી વોટ્સએપ ચેટમાં જવું પડશે . અહીં તમારે ચેટબોક્સમાં પેપરક્લિપ ઓપ્શન પર ક્લિક કરવું પડશે . તે પછી ફોટો કે વીડિયોને સિલેક્ટ કરવાનો રહેશે . પ્રિવ્યૂ સ્ક્રીન પર તમને ટેક્સ્ટ બાર માં ૧ નો આઇકોન જોવા મળશે . કન્ટેન્ટ મોકલતાં પહેલાં તે ૧ પર ક્લિક કરો . આમ કરવાથી રિસીવર તે કન્ટેન્ટને એક જ વાર ખોલી શકશે .

Philodendron_આ નાનકડો છોડ ચાર લાખ રૂપિયામાં વેચાયો ફિલોડેડ્રોન l

Philodendron_આ નાનકડો છોડ ચાર લાખ રૂપિયામાં વેચાયો  ફિલોડેડ્રોન       ન્યૂજર્સીની એક ટ્રેડ મી નામની વેબસાઇટે એક છોડને વેચવા માટે હરાજી યોજી . ત્યારે બોલી લગાવી તો તેને ખરીદવા માટે ભીડ લાગી ગઈ હતી . આખરે ન્યૂઝીલેન્ડના એક નાગરિકે સૌથી ઊંચી કિંમતે ( ૮.૧૫૦ ન્યૂઝીલેન્ડ ડૉલરમાં ) આ છોડ ખરીદ્યો હતો . તેને રૂપિયામાં ગણીએ તો લગભગ ૪ લાખ રૂપિયા થાય . આ છોડની ખાસિયત એ છે કે તેના પર ક્યારેક ક્યારેક પીળ ગુલાબી , ક્યારેક સફેદ તો ક્યારેક જાંબલી રંગનાં પાંદડાં આવે છે . આ દુર્લભ છોડનું નામ ફિલોડેડ્રોન મિનિમાં છે . તેને વેચનાર વેબસાઈટ ટ્રેડ મીમાં છોડ વિશે જાણકારી આપી છે કે છોડ પર ચાર પાંદડાં હોય છે . હાલ તેનો રંગ પીળામાંથી લીલો થઈ રહ્યો છે . લીલા રંગનાં પાંદડાં છોડને પ્રકાશ સંશ્લેષણ પૂરું પાડે છે અને પીળા રંગનાં પાન છોડના વિકાસ માટે ખાંડનું ઉત્પાદન કરે છે . તેની માંગ સૌથી વધુ અમેરિકા , કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં છે .
 

Stonefish દુનિયાની સૌથી જીવલેણ ઝેરીલી માછલી સ્ટોનફિશ

  Stonefish દુનિયાની સૌથી જીવલેણ ઝેરીલી માછલી સ્ટોનફિશ    ર્કવૃત્ત વિસ્તારના દરિયામાં તરવાનો કે સમુદ્રની જીવસૃષ્ટિને જાણવા - માણવાનો શોખ હોય તો એક માછલીથી હંમેશાં સાવધાન રહેવું . તેનું નામ સ્ટોનફિશ છે . સ્ટોનફિશ દેખાવે તદ્દન પથ્થર જેવી જ હોય છે . દરિયાના તળિયે વિખરાયેલા ખડકના ટુકડાઓ વચ્ચે એ  સ્થિર રહી તરતી હોય તો ખડક જ લાગે . આપણને તે માછલી સ્વરૂપે તો દેખાય જ નહીં . તેથી જ આ માછલી ખૂબ જોખમી છે . ભૂલથીય તો તમારો પગ કે હાથ આ માછલીને હડી જાય તો અડતાંની સાથે જ ગણતરીની સેકન્ડોમાં તમારું મૃત્યુ થઈ જાય . આ કારણસર ઘણા દરિયાકિનારે ચેતવણી લખી હોય છે કે પાણીમાં જાવ તો કોઈપણ ખડકથી દુર રહેજો . જો તમને કોઈ ખડક હિલચાલ કરતો દેખાય તો તરત જ તેનાથી દૂર ભાગી આવવું . પાણીની બહાર નીકળી આવવું . સામાન્ય રીતે આ સ્ટોનફિશ મકરવૃત્ત રેખાની આજુબાજુના દરિયામાં જોવા મળે છે . જો સ્ટોનફિશ પર તમારો પગ પડી જાય તો જેટલા વજન સાથે તમારો પગ તેની ઉપર પડ્યો હોય તેટલા જ વજન સાથે તે ન્યૂરોટોક્સિન ઝેર છોડે છે . જો તેનું ઝેર તમારા શરીરના કોઈ ભાગ ઉપર પડી જાય તો જીવ બચાવવા માટે તમારે બે સેકન્ડમાં શરીરનો એ ભાંગ કાપી નાખવો પડે . ન