Skip to main content

મૌન : એક પ્રકારનું તપ

 મૌન : એક પ્રકારનું તપ 



 આપણે બોલવાની બાબતમાં સાવચેતી રાખવી જોઈએ કારણ કે જીભ દ્વારા આપણી ઘણીબધી શક્તિ વેડફાય છે . જેવી રીતે આપણે એકાગ્રતામાં , સમાધિમાં ભાગ લઈએ છીએ તેવી રીતે જીભનો પણ સંયમ છે . તેનો આપણે મૌન દ્વારા અભ્યાસ કરીએ છીએ . અત્યારે આપને બે કલાકનું મૌન બતાવવામાં આવ્યું હશે . ન બતાવવામાં આવ્યું હોય તો હવે હું બતાવી દઉં છું કે આપે દ ૨૨ોજ સવારે બે કલાક મૌન રહેવું જોઈએ . ગાંધીજી અઠવાડિયામાં એક દિવસ મૌન રાખતા હતા . તેમને મળવા આવનારાઓની ભીડ જામી



રહેતી હતી . એમને ખૂબ જરૂરી કામ કરવાં પડતાં હતાં છતાં તેઓ મૌન રહેતા હતા . મૌન રહેવાથી તેમની શક્તિઓ બચી જતી હતી . આપે પણ આપની વાણીની , સરસ્વતીની શક્તિની બચત કરવા માટે બિનજરૂરી વાતચીતથી દૂર રહેવું જોઈએ . બિનજરૂરી વાતો ન કરો . નકામી લપલપ , અહીં - તહીંની વાતો ન કરો . ગપ્પાં ના મારો . એમાં આપની શક્તિઓ ક્ષીણ થાય છે અને આપે મંત્ર માટે જે સામર્થ્ય સંચિત કરવું જોઈએ તેમાં ઓટ આવે છે . આપ ઓછું બોલો . જરૂર પૂરતું જ બોલો . મહત્ત્વનું હોય એવું જ બોલો . વિચારપૂર્વક બોલો . આ પણ એક પ્રકારનું મૌન છે . મૌન : એક પ્રકારનું તપ

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

Instagram online story Download

  Click here to download 👇👇👇 https://www.storysaver.net/