સફળતા માટે ત્રણ બાબતો જરૂરી જે લોકો બિઝનેસ મેનેજમેન્ટ, સેલ્સમેન લાઈન, એન્જિનિયરિંગ, ધાર્મિક સંસ્થાઓ, લેખન, અભિનય અને બીજા ક્ષેત્રો માં ટોચ ઉપર પહોંચ્યા છે એ લોકો આત્માવિકાસ માટે એમણે કરેલી યોજના ઓ પ્રમાણે જ ચાલીને ત્યાં પહોંચી શ્ક્યા છે. કોઈ પણ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ત્રણ બાબતો હોવી જોઇએ. એમાં સામગ્રી હોવી જોઈએ: એટલે કે શું કરવું જોઈએ. બીજી બાબત: એમા પ્રદ્ધતિ હોવી જોઇએ -એટલે કે કેવી રીતે કરવું જોઈએ. અને ત્રીજી બાબત એ કે તે આખરી કસોટી માં પાર ઉતરવું જોઇએ - એટલે કે એનાં પરિણામ મળવાં જોઈએ. શું કરવું જોઈએ- એ માટે સફળતા વિશેના તમારા અંગત ટ્રેનિંગ પ્રોગ્રામમાં સફળ નિવડેલા લોકોના અભિગમ અને એમની ટેકનિકો વિશેનો અભ્યાસ નો મુદ્દો રાખવો જોઈએ. એ લોકો કેવી રીતે સફળ બને છે? એ લોકો અવરોધોનો કેવી સામનો કરે છે અને એને કેવી રીતે પાર કારે છે? એ લોકો બીજાઓ પાસેથી કેવી રીતે સન્માન પ્રાપ્ત કરે કરે છે? એવી કઈ બાબત છે. જે એમને સાધાણ લોકો થી જુદા પાડે છે ? સફળ લોકો કેવી રીતે વિચારે છે ? આત્મવિકાસ કેવી રીતે કરવો એ બાબત પર થી તમે કેવી રીતે કામ કરવાં માગો છો, એ વિશેની પદ્ધતિ બનાવો . એનાથી કામને દિશા