Skip to main content

Spirituality _અનેક સમસ્યાઓનું સમાધાન - અધ્યાત્મ

 અનેક સમસ્યાઓનું સમાધાન - અધ્યાત્મ



 અધ્યાત્મ એ કોઈ જાદુગરી નથી , પરંતુ વ્યક્તિ તથા સમાજને પ્રભાવિત તથા સુવ્યવસ્થિત કરનારી એક પ્રક્રિયા છે . તેમાં મુખ્યત્વે ચિંતન , ચરિત્ર અને વ્યવહારને ઉત્કૃષ્ટ બનાવવાં પડે છે . તેથી તેને વ્યક્તિવિજ્ઞાન , સમાજવિજ્ઞાન તથા નીતિશાસ્ત્ર પણ કહી શકાય . આ હકીકતને લોકોના મનમાં ઉતારવાથી એમાં સફળતા મળે છે . અધ્યાત્મ માત્ર થોડાક જિજ્ઞાસુઓના દાર્શનિક પ્રતિપાદનનો વિષય નથી . કેટલાક ભાવુક લોકો તેને કથા , પુરાણ કે સત્સંગ પ્રવચનની જેમ સાંભળે છે અને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે . 


ધાર્મિક કર્મકાંડોના માધ્યમથી આચારવિચારમાં ભાવનાનો સમન્વય કરીને તેમને હૃદયંગમ કરવી પડે છે . કે પૂજાપાઠની પ્રક્રિયામાં મહાનતાના લક્ષ્યને નજર સામે રાખીને પાત્રતાનો વિકાસ કરવા માટે ધૂપ , દીપ , અક્ષત , પુષ્પ વગેરેનો ઉપયોગ કરવામાં





આવે છે . સર્વતોમુખી ઉત્કૃષ્ટતાની વિભૂતિઓ તથા અતીન્દ્રિય ક્ષમતા કહેવાતી રિદ્ધિસિદ્ધિઓ આપોઆપ જ મળતી જાય છે અને અનેક લોકોનું ભલું કરે છે . ઈશ્વરને પ્રશંસા તથા ભેટસોગાદોથી ફોસલાવી શકાતો નથી કે પોતાની મનોકામનાઓની પૂર્તિ પણ થઈ શકતી નથી . આપણા બદલે ભગવાન કામ પૂરું કરી દેશે અથવા તો તેમનું નામ જપવાથી દુષ્કર્મોના ફળમાંથી છુટકારો મળી જશે એવી માન્યતા સાવ ખોટી છે . પ્રાયશ્ચિત્ત દ્વારા જ કર્મોના પરિણામમાંથી છૂટી શકાય છે . સમાજને જે નુકસાન પહોંચાડ્યું છે તેની પૂર્તિ કરવી પડે છે . જો એક બાજુ દુષ્કર્મ કરતા રહીએ અને બીજી બાજુ પૂજાપાઠ પણ કરતા રહીએ , તો સ્થિતિ હાસ્યાસ્પદ બની જાય છે . આત્મિક પ્રગતિ માટે બે મુખ્ય સાધન છે - એક તપ , જેને સંયમ કહે છે . તે આ પ્રત્યક્ષ જીવનમાં કરવું પડે છે . બીજું , સાધનાયોગ . તેનું તાત્પર્ય છે


સદ્ગુણોના સમુચ્ચય એવા પરમાત્મા સાથે પોતાને સંપૂર્ણ રીતે જોડી દેવો . મનને દોષદુર્ગુણોમાંથી મુક્ત કરીને મહાનતાના ઉદાર આદર્શો સાથે પોતાના વિચારો તથા ભાવનાઓને જોડી દેવાં . તપશ્ચર્યાથી બાહ્ય જીવનની શુદ્ધિ થાય છે અને યોગ દ્વારા અંતરની ઉત્કૃષ્ટતાને ચરમ સીમાએ પહોંચાડવાનો પ્રયાસ રાતદિવસ કરવો પડે છે . ટૂંકમાં , ચિંતનમાં ઉત્કૃષ્ટતા , ચરિત્રમાં આદર્શવાદ અને વ્યવહારમાં શાલીનતાનો સમાવેશ કરવાની નિરંતર સાધના એ જ તપ તથા યોગનો આત્મા છે . આ માટે કેટલાંક કર્મકાંડો અપનાવવાથી કર્મની સાથે જ્ઞાન જોડાઈ જાય છે . આ જ તત્ત્વજ્ઞાનનું દાર્શનિક પાસું છે . આ યુગસંધિનો સમય છે . યુગપરિવર્તનનો સુનિશ્ચિત સમય અત્યારનો જ છે . કહેવાય છે કે એકવીસમી સદી વિનાશ , પતન અને સંકટો ભરેલી હશે , પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રની ઉચ્ચકક્ષાની શક્તિઓ આ મુશ્કેલીઓ સામે ઝઝૂમવા અને સમૃદ્ધિ તથા 



પ્રગતિનું વાતાવરણ બનાવવા માટે વેળાસર કામે લાગી ગઈ છે . આગામી દિવસોમાં વિશ્વના ચિંતન તથા શક્તિઓને એક જગ્યાએ કેન્દ્રિત કરવામાં આવશે . ઝડપી વાહનોના કારણે સંસાર એક ગામ તથા એક ઘર જેવો બની ગયો છે . તેની સમસ્યાઓને એક સાથે ઉકેલવી પડશે . શીતળાના ફોડલાનો ઉપચાર મલમ લગાવવાથી નહિ , પરંતુ લોહી શુદ્ધિ કરવાથી થાય છે . સમગ્ર વિશ્વમાં વ્યાપેલી અસંખ્ય સમસ્યાઓનો હલ એક જ છે કે સમગ્ર વિશ્વને એક બનાવવામાં આવે અને તેની સાથે માનવીય સમતાના સિદ્ધાંતોને જોડી દેવામાં આવે .




Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

Instagram online story Download

  Click here to download 👇👇👇 https://www.storysaver.net/