Skip to main content

બીજાનો ગુસ્સો બાળક ઉપર ન ઉતારશો

બીજાનો ગુસ્સો બાળક ઉપર ન ઉતારશો


સ્ત્રીઓમાં એક આદત સૌથી કોમન હોય છે, ઘરમાં કોઇ સમસ્યા થઇ હોય અને એવે સમયે જો બાળક હડફેટે આવી જાય તો લગભગ બધો જ ગુસ્સો બાળક ઉપર ઉતરી જતો હોય છે. મોટાભાગની સ્ત્રી આવું જ કરતી હોય છે, બીજાનો ગુસ્સો પોતાના બાળકને ખૂબ વઢીને કે મારીને તે એની ઉપર ઉતારતી હોય છે. પછી ભલે તેને અઢળક પસ્તાવો થાય પણ પહેલાં તે એક્શન તો લઇ જ લે છે.આવું ન કરવું. આમ કરવાથી બાળ માનસ ઉપર ખરાબ અસર પડી શકે છે. 

તમે ગુસ્સે હોવ કે દુઃખી હોવ ત્યારે જ બાળક તોફાન કરતું હોય તો તેનાથી દૂર રહો, અથવા તો બે મિનિટ માટે મનને શાંત કરીને વિચારી જુઓ, ખરેખર તમે તમારા બાળક ઉપર હાથ ઉઠાવવા માગો છો? જે બાળક તમારી હાલત વિશે અજાણ છે, જેની અંદર એટલી સમજણ જ શું નથી એની ઉપર બીજાંનો ગુસ્સો ઉતારવાનો શું મતબલ ?



બાળક શું કહેવા માંગે છે તે સમજો તમારું બાળક ખૂબ તોફાન કરી રહ્યું છે, અથવા તો અનેક સવાલો કરી રહ્યું છે,

તમારું ધ્યાન આકર્ષિત કરવા કારનામાઓ કરી રહ્યું છે તો એ ખરેખર કેમ એમ કરી રહ્યું છે તે જાણવા પ્રયત્ન કરો. ઘણીવાર તમે માર્ક કર્યું હશે કે તમે કોઇ સાથે ફોન ઉપર વાત કરતાં હોવ અથવા તો ફોનમાં વ્યસ્ત હોવ ત્યારે બાળકો વધારે પડતાં જ તોફાન કરવા લાગે, આ સમયે આપણને ગુસ્સો આવે પણ એ ખરેખર તમારું ધ્યાન પોતાની તરફ આકર્ષવા એમ કરી રહ્યું હોય છે, 

એ સમયે એના ઉપર ગુસ્સે થવાને બદલે એને સમજવા પ્રયત્ન કરો, એની વાત જાણો, એ શું કહેવા કે કરવા માંગે છે એ જાણી એને મારવાને બદલે એના પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયત્ન કરો. અંતે માત્ર એટલું જ કે તમારા બાળકને જેટલું બાળક સાથે → પ્રેમથી કામ લેશો એટલું જ જલદી તમારું કામ થશે.

 બાળકો તમારા પ્રેમના ભૂખ્યાં હોય છે. એને વગર સમજ્યે મારવાને બદલે કે ગુસ્સો કરવાને બદલે તેને સમજાવવાનો પ્રયત્ન કરવો. તેને પ્રેમથી વારો, જેટલું પ્રેમથી સમજાવવા પ્રયત્ન કરશો એટલી જ બાળકના મનની વાત જાણી શકશો. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ઘરનું વાતાવરણ તંગ હોય ઘરમાં ઝગડો ચાલતો હોય ત્યારે બાળક વધારે તોફાને ચડતું હોય છે, માટે એની સામે ઝગડો ટાળો.



Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજના બનાવી   આમ એક વખત  મો

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે