Skip to main content

મોબાઇલ ફોનના સ્ક્રીન માટે વપરાતો ગોરિલા ગ્લાસ કેવા પ્રકારનો કાચ છે

મોબાઇલ ફોનના સ્ક્રીન માટે વપરાતો ગોરિલા ગ્લાસ કેવા પ્રકારનો કાચ છે ?

આ કાચને ગોરિલા નામ અપાયાનું કારણ એ કે તેમાં અડીખમ ગોરિલા જેવા ગુણધર્મો છે . આ કાચને જલદી ઘસરકા લાગતા નથી તેમજ અછાડપછાડને લીધે તે ઘડીકમાં તૂટતો નથી . આમ છતાં સ્પર્શ પ્રત્યે સેન્સિટિવ છે , એટલે સ્માર્ટફોનના , ટેબ્લેટના કે પછી બીજા વીજાણુ સાધનના ટચસ્ક્રીન માટે વાપરી શકાય છે . ગોરિલા ગ્લાસ અમેરિકાની ખ્યાતનામ કોર્નિંગ ગ્લાસ વર્કસ કંપનીએ આવિષ્કુત કર્યો છે . વિવિધ ખાસિયતોના કાચ બનાવવામાં તે કંપનીનો જવાબ નથી , ફાઇબર ગ્લાસની શોધ તેણે કરી , મોટરકારના વિન્ડસ્કીન માટે વપરાતો ટેમ્પર્ડ સેફ્ટી ગ્લાસ તેનું સર્જન છે , સંદેશવ્યવહાર માટેનો સર્વપ્રથમ વહેવારુ ઓપ્ટિકલ ફાઇબર તેની શોધ છે અને હબલ સ્પેસ ટેલિસ્કોપનો અરીસો પણ તેણે બનાવ્યો છે . સાદો કાચ તકલાદી હોય છે , ઉત્પાદન વખતે રો મટીરિઅલ્સમાં કેટલાક પદાર્થો ( દા.ત. બોરિક ઓક્સાઇડ ) ઉમેરીને મજબૂત કાચ તૈયાર કરી શકાય છે . કોર્નિંગ ગ્લાસ વન્સ કંપનીએ ગોરિલા ગ્લાસ બનાવવા માટે કાચના મુખ્ય કાચા માલ સિલિકામાં ( રેતીમાં ) એલ્યુમિનિયમ , સોડિયમ સિલિકોન તથા ઓક્સિજનનો ભેગ કર્યો છે . ઉત્પાદનના છેલ્લા સ્ટેજે તેને પોટેશિયમમાં તરબોળ કર્યો છે .


 આ છેલ્લી પ્રક્રિયા દરમ્યાન સોડિયમ ions / આયનોના સ્થાને જરા વધુ ભારે એવા પોટેશિયમ આયનો ગોઠવાય , એટલે કાચ આપોઆપ કસોકસ રીતે સંકોચન પામીને  (ગોરિલા જેવો ) એકદમ મજબૂત બન્યો છે . કોર્નિગ કંપનીનો સોલિડ છતાં સેન્સિટિવ ગોરિલા ગ્લાસ આજે સ્માર્ટફોન , ટેબ્લેટ , LCD TV , Caball GPS રિસીવર વટેબ્લેટ , વગેરે  ચીજોમાં  વપરાય છે.

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે