Skip to main content

વાઈફાઈ ડિવાઈસ થી ઊંઘ હરામ થાઈ છે માણસની તંન્દુરસ્તી પર ખરાબ અસર પડે છે : સંશોધન

 


ડેનમાર્કની એક સ્કૂલના વિધાર્થીઓએ એક વાઈફાઈ વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે . એમણે પોતાના સાધારણ વૈજ્ઞાનિક પ્રયોગને આધારે એ વાત સાબિત કરી છે .             કે વાઈફાઈ  ડિવાઈસ માણસની તંન્દુરસ્તી પર ખરાબ અસર પાડે છે . એનાથી નીકળતા રેડિયો તરંગોથી ઊંઘ પણ ઊડી જય છે . ડેનમાર્કની  હેલર્પ સ્કૂલના વિધાર્થીઓનું એવું કહેવું છે કે ઊંઘતી વખતે મોબાઈલ ફોન પાસે રાખવાથી એમને આખો દિવસ કલાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં પરેશાની ઊભી થઈ હતી . કેટલાક વિધાર્થીઓની તો ઊંઘમાં પણ ખલેલ પહોંચી હતી . વિદ્યાર્થીઓએ આ પ્રયોગ છોડ ઉપર પણ કર્યો હતો . એમણે વાયરલેસ રૂટરનો ઉપયોગ કર્યો , જેમાંથી મોબાઈલ જેવા જ રેડિયો તરંગો નીકળે છે . વિધાર્થીઓએ વાઈફાઈ રૂટરને નજીક .


 રાખીને છોડ ઉગાડવાની કોશિશ કરી તો એના મોટાભાગના બીજ મરી ગયા . આ માટે એમણે એક કમરામાં છોડની છ ટ્રે મૂકી જ્યાં વાઈફાઈ રૂટર અને મોબાઈલ નહોતા .જ્યારે બીજા કમરામાં એમણે બીજા છ છોડવાળી ટ્રે મૂકી . આ પછી જોયું તો 12 દિવસમાં વાઈફાઈ , ડિવાઈસવાળા કમરામાં રાખેલા બધા છોડ મરી ગયા હતા


જ્યારે બીજા કમરામાં મૂકેલા છોડ વિકાસ પામ્યા હતા . આ પહેલા એક રિસર્ચમાં એવું કહેવાયું હતું કે વાયરલેસ રેડિયો સિગ્નલથી નજીક રહેલા છોડ અને ઝાડના પાંદડાં સૂકાઈ જાય છે આ વાત આ પ્રયોગથી સાચી પડી છે , ‘ જોકે , ઘણા સંશોધકો વાઈફાઈની અસરો વિશે અલગ મત ધરાવે છે . વાઈફાઈ એ આજના જમાનાની માંગ એટલે એનાથી દૂર જઈ શકાય નહિ . વળી એનાથી એટલું બધું નુકસાન નથી થતું કે જે જીવલેણ નીવડે . કેટલાક સંશોધનો પણ વાઈફાઈની અસરોની આ વાતને સાબિત કરે છે . આ સંશોધનોના તારણ કહે છે કે એક વર્ષ સુધી વાઈફાઈ રૂટરની નજીક રહેતી વ્યક્તિ એટલી જ રેડિયો તરંગોને ઝીલે છે , જેટલી તરંગો 20 મિનિટના ફોનકોલથી નીકળે છે . આ સિવાય વાઈફાઈ રૂટથી ઘરમાં ઉપયોગમાં લેવાતા માઈક્રોવેવની સરખામણીમાં એક લાખ ગણી ઓછી હાનિકારક તરંગો નીકળે છે . વાયરલેસ રેડિયો તરંગો થોડા અંતરે જઈને ખતમ થઈ જાય છે . વાઈફાઈ તરંગોના પ્રભાવથી બચવા માટે લેપટોપને ખોળાને બદલે ટેબલ પર મૂકીને કામ કરવું બહેતર રહેશે . આ ઉપરાંત વાઈફાઈ રૂટરથી ત્રણ ફૂટનું અંતર રાખવું પણ બહેતર ગણાશે . 

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

Instagram online story Download

  Click here to download 👇👇👇 https://www.storysaver.net/