Skip to main content

તમારો ફોન વેચવા જઈ રહ્યાં છો , તો આટલી બાબતો ધ્યાનમાં રાખો

 તમારો ફોન વેચવા જઈ રહ્યાં છો , તો આટલી બાબતો ધ્યાનમાં રાખો




આપણામાંથી મોટાભાગના લોકો નવો ફોન ખરીદ્યા પછી જૂનો ફોન વેચી દેતા હોય છે . જૂનો ફોન વેચી દેવો એ ફાયદાનો સોદો છે પણ જો વેચતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો શક્ય છે ભવિષ્યમાં તમને કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે . તમારા ફોન થકી જરૂરી ડેટા અન્ય સુધી પહોંચી શકે છે અથવા તો તે લીક થવાની શક્યતા વધી જાય છે . જો તમે પણ જૂનો ફોન વેચવા જઈ રહ્યાં છો તો અહીં આપેલી બાબતોનું ખાસ ધ્યાન રાખો . 



વોટ્સએપનું બેકઅપ રાખવું જો તમારા વોટ્સઍપ ઍકાઉન્ટમાં જરૂરી ચૅટ કે ફાઈલ્સ છે , તો તમારે ફોન વેચતા પહેલાં તેનું બેકઅપ ચોક્કસ લઈ લેવું જોઈએ . જો એવું નહીં કરો તો તમારો ઉપયોગી ડેટા કાયમ માટે અન્યના હાથમાં જતો રહેશે .


 Data Reset રિસેટ કરતાં પહેલા ધ્યાન રાખો

 ફોન વેચતા પહેલાં જો તમે ફેક્ટરી ડેટાને રિસેટ કરવા જઈ રહ્યાં છો તો તમારા ફોનના તમામ એકાઉન્ટમાંથી લોગ આઉટ કરી લેવું . ફોનને રિસેટ કર્યા પછી પણ તમારા જરૂરી ડેટાને કોઈ ડિસ્કની રિકવરી


ટૂલની મદદથી રિકવર કરી શકાય છે . એવામાં તમારે ફેક્ટરી ડેટા રિસેટ કર્યા પછી ફોનમાં પબ્લિક ડોમેઈનની ચીજોને સ્ટોર કરીને તેને ફરી રિસેટ કરવી જોઈએ . આમ કરવાથી તમારા ફોનમાં સ્ટોર થયેલી બધી Cache ફાઈલો કાયમ માટે ડિલીટ થઈ જશે .



ઘણી વાર એવું થતું હોય છે કે ફોન વેચતી વખતે આપણને તેની અંદર રહેલું માઈક્રો એસડી કાર્ડ યાદ જ નથી આવતું . એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે એસડી કાર્ડ કાઢી લઈએ . ઘણી વાર ફોન વેચાઈ ગયા પછી તેની અંદર એસડી કાર્ડ રહી ગયાનું યાદ આવતું હોય છે , પણ ત્યાં સુધીમાં ફોન ક્યાંયનો ક્યાંય પહોંચી ગયો હોય છે . તેનાથી તમારી અનેક મહત્ત્વની માહિતી સાવ અજાણ્યા શખ્સો પાસે પહોંચી જઈ શકે છે અને તેનો દુરુપયોગ પણ થઈ શકે છે .


તમારો ફોન એનક્રિપ્ટેડ છે કે નહીં?

 ફોન વેચતી વખતે તેને રિસેટ કરતા પહેલાં એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા ફોનની મેમરી એનક્રિપ્ટેડ છે કે નહીં ? જો નથી , તો તમે જાતે તેને એન્ક્રિપ્ટ કરી શકો છો . એમ કર્યા પછી તમારા ફોનમાંથી જૂનો ડેટા મેળવવો મુશ્કેલ થઈ જશે . 


Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

Instagram online story Download

  Click here to download 👇👇👇 https://www.storysaver.net/