Skip to main content

જાણવા જેવું



કોરોનાના બે વર્ષના ગ્રહણ બાદ ઓડિશાનાં જગન્નાથપુરીમાં અષાઢી બીજનાં પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ , બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર તેમનાં ભક્તોને મળવા નગરચર્યાએ નીકળે છે . છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ભક્તો વિના શહેરમાં રથયાત્રા કાઢવામાં આવી હતી બે વર્ષના અંતરાલ પછી ભગવાનનાં દર્શન કરવા માટે પુરીમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું . ભગવાનના રથ માર્ગમાં રાત્રિ રોકાણ કરીને નવ દિવસ પછી નિજ

વિશ્વમાં સરિસૃપની અનેક પ્રજાતિઓ જોવા મળે છે . સાપની
 અનેક પ્રજાતિઓ છે પણ તાજેતરમાં દક્ષિણ આફ્રિકાનાં વેદવે વિસ્તારમાં મળી આવેલા બે મોઢાવાળા સાપે લોકોમાં કુતૂહલ અને આકર્ષણ જગાવ્યું છે . બે મોઢાવાળા સાપની પ્રજાતિ ભાગ્યે જ જોવા મળે છે . જે વિસ્તારમાંથી સાપ મળી આવ્યો તેનાં માલિકે બરણીમાં પૂરેલો બે મોઢાવાળો સાપ સાપની સુરક્ષાનું કામ કરતા નિક ઈવાન્સને સોંપ્યો છે . બે મોઢાવાળો આ સાપ સધર્ન બ્રાઉન એગ ઈટર પ્રજાતિનો છે .


 ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ( DRDO ) એ કર્ણાટકના ચિત્રદુર્ગા એરોનોટિક ટેસ્ટ રેન્જ ખાતે ભારતના સોપ્રથમ માનવરહિત લડાયક વિમાનના સૌપ્રથમ ઉડ્યનનું સફળ પરીક્ષણ કર્યું છે . પાઇલટ વિના ઊડતું આ લડાયક વિમાન ફલાઇંગ વિન્ગ નામની ટૅક્નોલોજીના આધારે પોતાની મેળે જ ઊડે છે અને પોતાના દુશ્મનને શોધીને તેની સામે શસ્ત્રો વાપરી શકે છે . અધિકારીએ કહ્યું કે વિમાન સંપૂર્ણપણે સ્વચાલિત મોડમાં ઊડ્યું અને સફળ રહ્યું .

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

Instagram online story Download

  Click here to download 👇👇👇 https://www.storysaver.net/