Skip to main content

વર્તમાન રાજકારણમાં નરેન્દ્ર મોદી સૌથી વધુ અસરકારક પ્રખર વક્તા છે.

 વર્તમાન રાજકારણમાં નરેન્દ્ર મોદી સૌથી વધુ અસરકારક પ્રખર વક્તા છે.

image source ; SeekPNG.com

નરેન્દ્ર મોદી જાહેર સભા હોય , પક્ષની બેઠક હોય કે સરકારી કાર્યક્રમ . તેઓ ક્યારેય ભાષણ નથી કરતાં , પરંતુ સામે ઉપસ્થિત મેદની સાથે વાર્તાલાપ કરે છે . ભાષણ શબ્દ જ તેમને અરુચિકર લાગે છે અને આ વાર્તાલાપની ભાષા તેમની આગવી ઓળખ બની ગઈ છે . કેટલાક લોકો તેમને બોલવામાં પહોંચી શકે તેમ નથી એ લોકો ટીકા કરે છે કે મોદી સંમોહન વિદ્યા ભણે છે અને માટે તેમને સાંભળનારા સૌ કોઈ તેમાં મોહિત થઈ જાય છે . 

વાસ્તવિકતા એ છે કે , મોદી શ્રેષ્ઠ વક્તા છે . ગુજરાતના ગામેગામ અને દેશના તમામ રાજ્યોના પ્રવાસ , અનેક પ્રકારના લોકો સાથેની વાતચીત કરવાથી તેમની પાસે પ્રજાજીવનનો વ્યાપક અનુભવ છે . પ્રજા શું ઇચ્છે છે ? પ્રજાના પ્રશ્નો શું છે ? દેશની પ્રજાની માનસિકતા કેવી છે , ધર્મ અને રીતરિવાજો , શ્રમ અને આળસની પ્રકૃતિ , કયા વર્ગમાં કેવી કુટેવો , કુરિવાજો , આદતો વગેરેને જાણે છે .


 પક્ષમાં કાર્યકરોની માનસિકતા સત્તામાં મંત્રીઓની માનસિકતા , કર્મચારી , અધિકારી , ડૉક્ટર કે શિક્ષકની માનસિકતા કેવી હોય છે એ બધું જ તેમણે સંઘ - ભાજપમાં સંગઠક તરીકે જોયું અને અનુભવ્યું છે . આ અનુભવના આધારે પોતે સત્તાના કેન્દ્રમાં આવ્યા પછી શું કરી શકાય તેનો નિચોડ પ્રજા સમક્ષ રજૂ કરે છે અને તેને વ્યાપક આવકાર મળે છે . 


માત્ર સભામાં જ નહીં , પાંચ પ્રતિનિધિઓનું મંડળ મુલાકાતે જાય છે , ત્યારે તેઓ પણ મોદીના વિચારો અને તેને રજૂ કરવાની આગવી શૈલીથી અંજાઈ જાય છે . એક સામાન્ય પરિવારમાંથી આવેલા નરેન્દ્ર મોદી વડા પ્રધાન પદ પ્રાપ્તિ સુધીમાં તેમની આ આવડતનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે .

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

Instagram online story Download

  Click here to download 👇👇👇 https://www.storysaver.net/