Skip to main content

વિન્ડોઝ ૭ અને ૮.૧ બંધ થયું, હવે માઇક્રોસોફ્ટ કોઇ અપડેટ નહીં આપે

 વિન્ડોઝ ૭ અને ૮.૧ બંધ થયું, હવે માઇક્રોસોફ્ટ કોઇ અપડેટ નહીં આપે












માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ૭ અને વિન્ડોઝ ૮.૧ માટે સપોર્ટ બંધ કરી દીધો છે. એટલે કે હવે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ૭ અને વિન્ડોઝ ૮.૧ માટે કોઇ પણ સિસ્ટમ અપડેટ કે સિક્યોરિટી અપડેટ રજૂ નહીં કરે. માઇક્રોસોફ્ટે પહેલાં જ કહ્યું હતું કે,

 ૧૦ જાન્યુઆરી, ૨૦૨૩થી વિન્ડોઝ ૭ અને વિન્ડોઝ ૮.૧ની માટે સિક્યોરિટી અપડેટ નહીં આપે અને ટેક્નિકલ અપડેટ પણ રજૂ નહીં કરવામાં આવે. ડેવલપરની માટે WebView૨નો સપોર્ટ પણ ૧૦ જાન્યુઆરીથી બંધ થઇ ગયો છે. જેની મદદ વડે ડેવલપર પોતાની એપને અપડટે કરતા હતા. નોંધનીય છે કે, ગૂગલે પણ ગત વર્ષમાં એક નિવેદન આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે, વિન્ડોઝ ૭ અને વિન્ડોઝ ૮.૧ માટે તે ગૂગલ બ્રાઉઝરનો સપોર્ટ પણ બંધ કરી રહ્યો છે.

 વિન્ડોઝ ૭ અને વિન્ડોઝ ૮.૧માં ગૂગલ ક્રોમનું નવું વર્ઝન પણ ૭ ફેબ્રુઆરી બાદ સપોર્ટ નહીં કરે. સિક્યોરિટી અપડેટ ન મળવાના કારણે વિન્ડોઝ ૮.૧ અને વિન્ડોઝ ૭ હેકર્સના નિશાના પર રહેશે. ઉપરાંત બગ આવવાની શક્યતાઓ પણ સેવાઇ રહી છે. વર્ષ ૨૦૨૧ના અંત સુધી વિશ્વભરમાં વિન્ડોઝ ૭ની યૂઝર્સ સંખ્યા ૧૦૦ મિલિયન હતી. એવામાં આ તમામ યૂઝર્સે પણ પોતાના વિન્ડોઝ અપડેટ કરવાના રહેશે.

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

Instagram online story Download

  Click here to download 👇👇👇 https://www.storysaver.net/