તમારી વિચારવાની પ્રક્રિયાને સમજો
ધ રો કે તમે ક્યારેય કોઈ ધાર્મિક કે માનસશાસ્ત્રીય પુસ્તક વાંચ્યું જ નથી અને જો તમારે જીવનના મહત્ત્વનો શોધવાનો હોય અર્થ તો તમે તેની શરૂઆત કેવી રીતે કરશો? ધારો કે ગુરુ, ધાર્મિક સંસ્થાઓ નથી, બુદ્ધ નથી, ઈશુ ખ્રિસ્ત નથી અને તમારે પહેલેથી જ શરૂઆત કરવાની હોય તો તમે તેની શરૂઆત કેવી રીતે કરશો? પ્રથમ, તમારે તમારી વિચારવાની પ્રક્રિયાને સમજવી પડશે, શું નહીં સમજવી પડે? તમે ખુદને કે તમારા વિચારોને ભવિષ્યની કલ્પનામાં રજૂ ન કરો, તમે તમને ખુશ કરે એવા ઈશ્વરનું સર્જન ન કરો, એ તો નરી બાલિશતા છે. તો સહુ પહેલાં તમારે તમારા વિચારની પ્રક્રિયાને સમજવી પડશે. કાંઈ પણ નવું શોધવા માટે એ જ એકમાત્ર રસ્તો છે, શું તે નથી ?
જ્યારે આપણે એમ કહીએ છીએ શિક્ષણ અને જ્ઞાન અંતરાય છે, અડચણ છે ત્યારે તેમાં આપણે ટેક્નિકલ જ્ઞાનનો સમાવેશ નથી કરતા- મોટરગાડી કેવી રીતે ચલાવવી, યંત્ર કેવી રીતે ચલાવવું અથવા આવા જ્ઞાનથી આવતી કાર્યક્ષમતાનો સમાવેશ નથી કરતા? આપણા મનમાં તદ્દન જુદી જ બાબત છે; સર્જનાત્મક સુખની એ ભાવના કે જે ગમે તેટલું જ્ઞાન કે શિક્ષણ ન આપી શકે. ‘સર્જનાત્મક હોવું' એ શબ્દનો ખરેખરો સાચો અર્થ દરેક પળે ભૂતકાળથી મુક્ત થવું છે, કારણ કે તે ભૂતકાળ જ નિરંતરપણે પોતાનો પ્રભાવ, પોતાનો પડછાયો વર્તમાન ઉપર પાથરે છે. કોઈ માહિતીને માત્ર વળગી રહેવું, બીજાના અનુભવોને વળગી રહેવું. બીજાએ જે કહ્યું હોય તે ભલે ગમે તેટલું મહાન કે સારું હોય, તેને વળગી રહેવું અને તમારી ક્રિયાઓને તે મુજબ કરવાનો પ્રયત્ન કરવો- આ બધું જ્ઞાન છે, શું તે જ્ઞાન નથી? પરંતુ કાંઈ પણ નવું શોધી કાઢવા માટે તમારે તમારી જાતે, તમારી રીતે શરૂઆત કરવી જોઈએ; એ યાત્રા તમારે સંપૂર્ણપણે અનાવૃત્ત થઈને શરૂ કરવી જોઈએ, ખાસ કરીને જ્ઞાનની યાત્રા, કારણ કે તેમ કરવું બહુ સહેલું છે. જ્ઞાન અને માન્યતા દ્વારા અનુભવો મેળવવા એ તો કેવળ પોતાની કલ્પનાની રજૂઆત છે અને તેથી તે બિલકુલ અવાસ્તવિક, ખોટા છે.
Comments