Skip to main content

નવા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલ એપ્સ ઘટવાની શક્યતાઓ છે.

 નવા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલ એપ્સ ઘટવાની શક્યતાઓ છે.

ગ્લોબલ ટેક કંપની ગૂગલની સામે છેલ્લા એક વર્ષથી કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI)ના નિર્ણયનો દેશમાં એન્ડ્રોઇડ ડિવાઇસ પર અસર પડી શકે છે. આ નિર્ણયથી ગૂગલે દેશમાં સેમસંગ અને શાઓમી જેવા ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર્સ (OEM) ની સાથે પોતાના સોફ્ટવેર લાઇસન્સિંગ એગ્રીમેન્ટને સુધારવું પડશે. એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ડિવાઇસ મેન્યુફેક્ચરર્સ સ્માર્ટફોન, ટેબલેટ્સ જેવી એન્ડ્રોઇડ ડિવાઇસીસને દેશના ગ્લોબલ મોબાઇલ એપ્લિકેશન ડિસ્ટ્રીબ્યુશન લાઇસન્સ(MADA) હેઠળ રિલીઝ કરી શકે છે અથવા નવા IMADA લાઇસન્સની પસંદગી કરી શકે છે.

 એવું પણ કહેવામાં આવે છે કે, IMADA ભારતમાં જરૂરિયાતોને અનુરૂપ બનાવેલો એગ્રીમેન્ટ છે જેમાં OEM પ્રત્યેક નવા એન્ડ્રોઇડ ફોનની સાથે આવનાર ગૂગલ ૧૧ એપ્સને પ્રી-ઇન્સ્ટોલેશનથી નિકાળવાનું પસંદ કરી શકે છે. IMADA હેઠળ સર્ચ બાર, ગૂગલ એપ્સના ફોલ્ડર પણ ડિવાઇસની હોમસ્ક્રીન પર રાખવાની જરૂર નથી. દેશમાં ૬૦ કરોડ સ્માર્ટફોન્સમાં લગભગ ૯૭ ટકા એન્ડ્રોઇડ પર ચાલે છે. CCIએ ગૂગલને ચલાવનાર અમેરિકન કંપની Alphabet Inc પર એન્ડ્રોઇડ માર્કેટમાં પોતાની દબદબાવાળી સ્થિતિનો ખોટો ઉપયોગ કરીને ગત વર્ષે ઓક્ટોબરમાં લગભગ ૧૬.૧ કરોડ ડૉલરનો દંડ ફટકાર્યો હતો. જ્યારે કંપનીએ આ સામે નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રિબ્યુનલ (NCLAT)માં અપીલ કરી હતી.

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજના બનાવી   આમ એક વખત  મો

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે