Skip to main content

પતિ-પત્નીનો એક હૃદયસ્પર્શી વાર્તાલાપ

 પતિ-પત્નીનો એક હૃદયસ્પર્શી વાર્તાલાપ

 Image by Pixabay.com


પતિ : અરે કેમ સૂતી નથી?


પત્ની : બસ, શાંતિથી બેઠી છું. સાચું કહું તો મને રોજ થાક લાગતો હતો, પણ તમે અને છોકરાઓ જ્યારથી આખો દિવસ ઘરે છોને ત્યારથી આ થાક ઓછો થઈ ગયો છે. ભલે કામ થોડું વધી ગયું છે અને કામવાળી બાઈ પણ રજા પર છે. છતાં પણ હું રસોઈ બનાવું ને તમે અંદર આવીને વાતો કરતાં-કરતાં આગળ-પાછળ પડેલું બધું જગ્યા પર મૂકી દો છો. હું કહું થોડી મદદ કરાવો તો તરત જ તમે બોલી ઊઠો છો કે લાવ, હું કરી દઉં, નવરો જ છું. આ બધું જ મને અઢળક પ્રેમનો અહેસાસ કરાવે છે. બસ, આટલું જ તો જોઈએ છે મારે. નાની-મોટી રકઝક પણ આખો દિવસ સામસામે


રહેવાથી ઝડપથી પતી જાય છે. તમારા ઘરમાં હોવાથી કે આમ વાત કરતા રહેવાથી ઘર એકદમ ભરેલું-ભરેલું લાગે છે. વાતો અને મસ્તી કરવામાં સમય પણ ઝડપથી પસાર થઈ જાય છે. હવે સમજાયું કે રોજ મને થાક કામનો નહીં પણ એકલતાનો લાગતો હતો.


કંટાળો, સખત કંટાળો આવી જાય છે ક્યારેક... નહીં? પણ મારી વાત યાદ રાખજો તમે...


પરિવાર સાથે કાઢેલા આ દિવસો જીવનના અંત સુધી નહીં ભૂલો. જ્યારે જીવન રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જશે ત્યારે આ દિવસોની ઊણપ વર્તાશે.

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજના બનાવી   આમ એક વખત  મો

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે